SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ यादृशो ध्वनिः तादृशोऽर्थः ૬/૪ प रा तदुक्तं विशेषावश्यकभाष्ये " धणिभेयाओ भेओ त्थी-पुंलिङ्गाभिहाणवच्चाणं । पड-कुंभाणं व जओ तेण भिन्नत्थमिट्टं तं।।” (वि.आ.भा. २२३४) इति । यादृशो ध्वनिस्तादृश एवार्थोऽस्येष्टः । अन्यलिङ्ग -वचन-कालादिवृत्तेस्तु शब्दस्य नाऽन्यलिङ्गादियुक्तमर्थं वाच्यमिच्छत्यसाविति भावः । लिङ्गादिपञ्चकस्योपलक्षणात् 'सन्तिष्ठते, अवतिष्ठते' इत्यादौ उपसर्गभेदेन अर्थभेदः, 'पचति, पचते, कथयति, कथयते' इत्यादौ चोपग्रहभेदेन अर्थभेदः शब्दनयसम्मत इति द्रष्टव्यम् । तदुक्तं क् श्रीलब्धिसूरिणा तत्त्वन्यायविभाकरे “काल - कारक-लिङ्ग-सङ्ख्या-पुरुषोपसर्गाणां भेदेन सन्तम् अपि अभेदम् णि उपेक्ष्य अर्थभेदस्य शब्दप्राधान्यात् प्रदर्शकोऽभिप्रायविशेषः शब्दनयः” (त.न्या.वि.पृ.९३) इति । का तदुक्तं श्रीशीलाङ्काचार्येण अपि सूत्रकृताङ्गसूत्रवृत्तौ “ शब्दनयस्वरूपं तु इदम्, तद् यथा - शब्दद्वारेणैव શબ્દથી પ્રતિપાદ્ય માનવો આ વાત વ્યાજબી નથી.' આ પ્રમાણે શબ્દનયનો અભિપ્રાય છે. * વિશેષાવશ્યકભાષ્યનો સંવાદ છે. (તવ્રુત્ત વિશે.) વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં જણાવેલ છે કે “શબ્દના ભેદથી પટ અને કુંભ વચ્ચે ભેદ છે તેમ સ્ત્રીલિંગ, પુલિંગ વગેરે વિભિન્ન લિંગવાળા શબ્દથી વાચ્ય એવા અર્થમાં પણ ભેદ છે. તેથી ભિન્ન લિંગવાળા શબ્દોના અર્થ ભિન્ન છે - તેવું શબ્દનયને સંમત છે.” મતલબ કે શબ્દનય શબ્દપ્રધાન છે. જેવા પ્રકારનો શબ્દ હોય તેવા પ્રકારનો જ અર્થ શબ્દનયને માન્ય છે. અન્યવિધ લિંગ, વચન અને કાળ વગેરેની સાથે સંકળાયેલ શબ્દનો અર્થ તેનાથી જુદા લિંગ, વચન આદિથી યુક્ત હોય તેવું શબ્દનય સ્વીકારતો નથી. આ પ્રમાણે શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજીનું તાત્પર્ય છે. * ઉપસર્ગાદિભેદથી અર્થભેદ શબ્દનયસંમત : શ્રીલબ્ધિસૂરિજી 림 = (નિ.) ‘લિંગ વગેરે પાંચ તત્ત્વ અર્થભેદક છે' - આવું જે શબ્દનયના અભિપ્રાયથી જણાવેલ { છે તે ઉપલક્ષણ હોવાથી ઉપસર્ગ વગેરેના ભેદથી પણ શબ્દનય અર્થભેદને માને છે તેમ સમજી લેવું. ‘ન્તિતે’ સારી રીતે રહે છે, ‘અતિતે’ તે નીચે તરફ રહે છે - આ મુજબ ઉપસર્ગભેદથી ” અવશ્ય અર્થભેદ શબ્દનયને માન્ય છે. તે જ રીતે ઉપગ્રહભેદ આત્મનેપદ-૫૨સ્મૈપદભેદ હોય તો પણ શબ્દનય અર્થભેદને અવશ્ય સ્વીકારે છે. પતિ બીજા માટે રાંધે છે. તે = પોતાના માટે રાંધે છે. આ રીતે ‘થતિ, થયતે’ વગેરે સ્થળે સમજી લેવું. નિમ્નોક્ત બે શાસ્ત્રના સંદર્ભનો ઉપરોક્ત બાબતમાં ટેકો મળે છે. જેમ કે શ્રીલબ્ધિસૂરિજીએ તત્ત્વન્યાયવિભાકર ગ્રંથમાં જણાવેલ છે કે ‘કાલ, કારક,લિંગ, સંખ્યા, પુરુષ, ઉપસર્ગ - આ છ માં ભેદ થવાથી ફેરફાર થવાથી, અર્થમાં વિદ્યમાન એવા પણ અભેદની ઉપેક્ષા કરીને, શબ્દને મુખ્ય બનાવીને અર્થમાં ભેદને જણાવનાર વિશેષ પ્રકારનો અધ્યવસાય એટલે શબ્દનય.' અહીં ઉપસર્ગનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. 3 t ७९४ = = = ટુજી ઉપગ્રહાદિભેદથી અર્થભેદ શબ્દનયસંમત : શ્રીશીલાંકાચાર્યજી (તવુ.) શ્રીશીલાંકાચાર્યજીએ પણ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં અંતે જણાવેલ છે કે “શબ્દનયનું સ્વરૂપ આ છે. તે આ મુજબ સમજવું. શબ્દનય શબ્દ દ્વારા શબ્દને મુખ્ય બનાવવા દ્વારા જ અર્થની પ્રતીતિનો 1. ध्वनिभेदाद् भेदः स्त्री-पुंलिङ्गाभिधानवाच्यानाम् । पट- कुम्भानामिव यतस्तेन भिन्नार्थमिष्टं तत् ।। =
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy