SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ 0 गुर्वाद्यनादरः परित्याज्य: । ૪/૨ प प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'मोक्षः अतीन्द्रिय' इति कृत्वा आत्मानुभवैकगम्यः मोक्ष मार्गोऽपि अतीन्द्रियः। तथापि भव्यानुग्रहाय शब्दद्वारा यावान् शक्यः तावान् स्पष्टं मोक्षमार्गो" पदेशनाय प्रयासः तीर्थङ्कर-गणधरादिभिः कृतः। किन्तु ज्ञानावरण-मोहनीयादिकर्मोदयतः जिनवचन, संशये सति झटितिमोक्षमार्गगमनयोग्यता विलीयते हीयते वा। शङ्काकारी जीवः बोधिभ्रष्टो श भवतीति कृत्वा स्वानुभूतिजगत्प्रवेशकृते जिनवचन-गुरूपदेशाऽनादराऽविश्वासादिकं न जातु कर्तव्यम्, - किन्तु तद्गोचराऽनुपमाऽऽदराऽविचलविश्वासादिकम् आत्मसात् कार्यम् । इत्थमेव रत्नत्रययोग-क्षेम 0 -શુદ્ધિ-વૃદ્ધિઃ સાભાર્થી “સિદ્ધ મવતિ સારીરા, નીવયા, હંસા-નાળવડા, નિષ્ક્રિયા, ળીયા, " શિરેયT, વિનિમરા, વિયુદ્ધ, સાયમUITદ્ધ વાર્તા વિદ્યુતિ” (.રૂદ્દ/ર૦૭૬/g.૪૪૬) રૂતિ પ્રજ્ઞાપનાका सूत्रोक्तं सिद्धस्वरूपं लभेत ।।४/१।। જેને થયો હોય તે નિર્વિચિકિત્સ બને છે.” આમ સમ્યગ્દર્શનની નિર્મળતાસ્વરૂપ નિર્વિચિકિત્સપણું મેળવવા માટે સાધુજીવનમાં પણ શાસ્ત્રનું પરિશીલન જરૂરી છે. * શ્રદ્ધા મોક્ષમાર્ગ પ્રાપક # આધ્યાત્મિક ઉપનય :- મોક્ષ અતીન્દ્રિય છે. તેથી કેવળ આત્માની અનુભૂતિના સ્તરનો મોક્ષમાર્ગ પણ અતીન્દ્રિય છે. તેમ છતાં ભવ્યાત્માઓ ઉપર ઉપકાર કરવાના પવિત્ર આશયથી મોક્ષમાર્ગ તરફ અંગુલિનિર્દેશ કરવાનો, શબ્દ દ્વારા યથાશક્ય સ્પષ્ટપણે મોક્ષમાર્ગને સમજાવવાનો પ્રયત્ન તીર્થંકર ભગવંત, કે ગણધર ભગવંત વગેરેએ કરેલ છે. પરંતુ જ્ઞાનાવરણ કર્મના કે મોહનીય કર્મના ઉદયથી જીવને જિનવચનમાં a સંશય પડે તો તાત્ત્વિક મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધવાની યોગ્યતા રવાના થાય છે અથવા ઘટી જાય છે. શંકા કરનારો જીવ બોધિથી = સમકિતથી ભ્રષ્ટ થાય છે. માટે સ્વાનુભૂતિની દુનિયામાં પ્રવેશ કરવા સ ઈચ્છતા સાધકે શ્રુતજ્ઞાનનો કે જિનવચનનો કે ગુરુવચનનો અનાદર કે અવિશ્વાસ કરવાની ગંભીર ભૂલ ક્યારેય ન કરવી. શ્રુતજ્ઞાન, જિનવચન અને ગુરુવચન પ્રત્યે ઝળહળતો અહોભાવ અને અતૂટ વિશ્વાસ આવે તો જ રત્નત્રયીની યોગ-સેમ-શુદ્ધિ-વૃદ્ધિ દ્વારા આત્માર્થી સાધક પન્નવણાસૂત્રમાં (= પ્રજ્ઞાપના સૂત્રમાં) જણાવેલ સિદ્ધસ્વરૂપને મેળવે. ત્યાં શ્યામાચાર્યજીએ સિદ્ધસ્વરૂપને વર્ણવતા જણાવેલ છે કે “શરીરશૂન્ય, નક્કરજીવપ્રદેશમય આત્મસ્વરૂપના ધારક, દર્શન-જ્ઞાનમાં ઉપયુક્ત, કૃતાર્થ, કમરજશૂન્ય, નિશ્ચલ, અંધકારશૂન્ય (= અજ્ઞાન-રહિત), વિશુદ્ધ બનેલા સિદ્ધાત્માઓ અનંત ભવિષ્યકાળ સુધી લોકાગ્રભાગે વસનારા છે.” (૪/૧) (લખી રાખો ડાયરીમાં... • સાધના એટલે અન્તર્યાત્રા. દા.ત. અવધિજ્ઞાની શતક શ્રાવક ઉપાસના એટલે પરમાત્મયાત્રા. દા.ત. શ્રેણિક રાજા. 1. सिद्धा भवन्ति अशरीराः, जीवघनाः, दर्शन-ज्ञानोपयुक्ताः, निष्ठितार्थाः, नीरजसः, निरेजनाः, वितिमिराः, विशुद्धाः, शाश्वतम् अनागताद्धं कालं तिष्ठन्ति।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy