SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ એવાએ સિદ્ધ ભગવતે શ્રેષ્ઠમેક્ષતત્વ૫ છે; કેમકે (૧) જગતમાં તત્ત્વ બે-જડ અને જીવ. જડ કરતાં જીવ ઉત્તમ છે. કારણ કે કઈ જડ કદી શાશ્વત શુદ્ધ નથી બની શકતું, જ્યારે જીવ એવું શાશ્વત શુદ્ધ બની શકે છે, કે જેથી પછી કદીય અશુદ્ધ ન થાય. વળી (૨) જીવ તત્ત્વમાંય સિદ્ધ-બુદ્ધ-મુક્ત જે બીજા કરતાં શ્રેષ્ઠ છે, કેમકે તે સર્વથા કર્મ કલંકથી રહિત છે. (૩) વળી નવ તત્ત્વમાં અંતિમ સાધ્ય મેક્ષ તત્વ છે, તે મેક્ષ સિદ્ધ સ્વરૂપ છે. માટે ય સિધ્ધ પરમ તત્ત્વરૂપ છે. એમનાથી ઊંચું કે એમના સમાન બીજું કઈ તત્વ નથી. એ એવા સંપૂર્ણ કૃર્તાથ છે કે એમને મેક્ષ મળ્યા પછી કાંઈ મેળવવાનું બાકી રહેલું નથી. હવે એમને શરીર નથી, ઈદ્રિ નથી; ભૂખ નથી, તરસ નથી, હાજત નથી, પણજ કે વેદના નથી, ઇચ્છા નથી, અજ્ઞાન નથી, તેથી શું કરવાનું બાકી રહે? માટે, મારે એ સિદ્ધો જ શરણ છે, એ જ સેવ્ય છે, એ જ ધ્યેય છે, પ્રાપ્ય છે, સ્તુત્ય છે. તવા પસંતગંભીરાસયા, સાવજજજોગવિયા, પંચવિહાયાર જાણુગા, પરેવયાનિરયા, પઉમાઈનિંદસણું, ઝાણુઝયણસંગયા, વિસુઝઝમાણુભાવા, સાહુ સરણું અર્થ-તથા પ્રશાંત અને ગંભીર આશયવાળા, સાવદ્ય ગથી વિરામ પામેલા, પંચાચારના જ્ઞ–પ્રત્યાખ્યાન પરિજ્ઞાવાળા, પરોપકારમાં અત્યંત રક્ત, કમળ આદિની ઉપમાવાળા, ધ્યાનઅધ્યયનમાં પરોવાયેલા, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંત મારે શરણ છે.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy