SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પણ માહ્ય સામગ્રી–સમ્પત્તિ આદિની પણ પ્રાપ્તિ થાય છે અને તેમાં વિશેષતા એ છે કે પ્રાયઃ એ સમ્પત્તિ આત્માને સદાચારમાં જોડે છે, એનાથી અનાદિ મેહની વાસનાઓનું પોષણ થવાને બદલે વાસનાએ ટળે છે. અર્થાત્ ધર્મનુ સાધન બને છે. કોઈ એને શ્રીગૌતમગણધરની કૃતિ કહે છે. ૨-ઉપદેશમાલા એના રચિયતા મહત્તર શ્રીધદાસગણી પ્રભુ શ્રીમહાવીરદેવના હાથે દીક્ષિત થયા હતા, એવા નિર્ણય કાઈ ન માને તે પણ એમ તે અવશ્ય કહી શકાય તેમ છે કે તે બે હજાર વર્ષોથી પણ પૂર્વની અતિ ગમ્ભીર અવાળી અને સુન્દર ભાવવાહી એક પ્રાચીનતમ કૃતિ છે, એમાં આત્મગુણ્ણાના વિકાસ માટેની પૂર્ણ સામગ્રી છે, મુખ્યતયા ગ્રન્થ સાધુધર્મ માટે લખાએલે છતાં સાધુ કે ગૃહસ્થ સહુને એકાન્તે આત્મશુદ્ધિ માટે ઉપયાગી ઉપદેશ એમાં પદે પદે ભરેલા છે, સાથે સાથે અનાદિ કાળના આત્માની પાછળ લાગેલા કામ-ક્રોધ-માહઅજ્ઞાન-રાગ-દ્વેષાદિ રાગેાનું અને તેના વિપાકેાનુ' પણ વર્ણન પદે પદે ભરપૂર છે, કર્તાએ જાણે અનાદિ દુઃખમાં રીખાતા જગતના ઉદ્ધાર કરવાની કરુણાષ્ટિના ધાધ વહેતા કર્યા હાય તેમ પેાતાની સમગ્ર જ્ઞાનની શક્તિથી આની રચના કરી છે કે જે ભવ્યજીવાને એકાન્ત ઉપકારક છે. ૩—કુલકસંગ્રહ—એક વિષયના નિરૂપણુ માટે રચાયેલાં પાંચ કે તેથી વધુ સંખ્યાના કાવ્ય સમુદાયને કુલક કહેવાય છે. એવાં ભિન્ન ભિન્ન વિષયનાં અનેકાનેક કુલકા જૈન સાહિત્યમાં છે તે પૈકી આમાં ૧૯ કુલકાના
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy