SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) આ પદ્ધતિ ભૂલભરેલી છે અને તેનાથી સેંકડે કે હજારો વર્ષોની નહીં પરંતુ લાખો અને કડો વર્ષોની ભૂલ આવે છે. એટલે જે પદાર્થને તેઓએ ૭-૮ કરોડ વર્ષ પહેલાંનો છે. એમ નકકી કર્યું હોય તે પદાર્થ કદાચ ૭૦૦-૮૦૦ અબજ કે એથી પણ વધુ વર્ષો પૂર્વેનો હોઈ શકે છે. મતલબ કે વૈજ્ઞાનિકે એ નક્કી કરેલી પદ્ધત્તિનો સિદ્ધાંત ખામી ભરેલું હોવાથી તેઓની ગણતરી સાચી આવતી નથી અને તે રીતે તેઓનાં તારણો માત્ર અનુમાન જ છે. તેથી તે જરાય વિશ્વસનીય બની શકતાં નથી. આ અંગે “The Pyramid power નામના પુસ્તકમાં તેના લેખકો મેકસ ટોથ (Max, Toth) અને ગ્રેગ નાઇલસેન (Greg Nielsen) લખે છે : “It shoulod be noted here that to determine the date of an archaeological find, excavators all over the world have been using the analysis of radio active carbon, the isotope carbon-14. Unfortunately, it now appears that the dates obtained through the use of this method are highly questionable, since contamination from present day organic materials could substantially affect the process. Archaeologists now believe that most of the sites dated with carbon 14 are older than the dating process showed that they were. There is currently an enormous controversy raging in archaeological circles over the claim of some archacologists that carbon 14 dating is incorrect by thousands of years, not hundreds as was previously thoughts" 1. અત્યારે વૈજ્ઞાનિકો એ ભય સેવી રહ્યા છે કે જે વિકસિત દેશે અને વિકાસશીલ દેશે અવકાશમાં વારંવાર ઉપગ્રહો મૂકવા માટે અને અવકાશમાં પ્રયોગ કરવા માટે સ્પેસ શટલનો વધુ પડતો ઉપયોગ કરશે તે, સૂર્યમાંથી આવતા, મનુષ્ય અને સજીવ સૃષ્ટિને હાનિકર્તા એવા પારજાંબલી (Ultraviolet) કિરણોને રોકનાર વાતાવરણનું ઉપરનું એઝોન વાયુનું સ્તર ખલાસ થઈ જશે અને સૂર્યનાં પારજાંબલી કિરણોથી સજીવ સૃષ્ટિનો નાશ થઈ જશે. સૂર્ય માંથી આગને વરસાદ થશે અને પૃથ્વીનો પ્રલય થશે. આવું જ વર્ણન જૈન ગ્રંથમાં છઠ્ઠા આરા માટેનું છે. ત્યાં જણાવ્યું છે કે અગ્નિને વરસાદ થશે, મીઠું વિગેરે ક્ષારોનો વરસાદ થશે. તે વરસાદ ખૂબ ઝેરી હશે. તેનાથી પૃથ્વી હાહાકાર કરશે. આ રીતે પૃથ્વીને પ્રલય થશે. મનુષ્યો વિગેરે દિવસે વૈતાઢય પર્વતની ગુફામાં રહેશે. ફકત રાતે જ બહાર નીકળશે. બધા જ માંસાહારી હશે. ટૂંકમાં વૈજ્ઞાનિકોએ જે ભય સેવ્યો છે તે યથાર્થ છે. અને એની આગાહી ભગવાન મહાવીરે ૨૫૦૦-૨૫૦૦ વર્ષ પહેલાં કરેલી છે. આ રીતે ડાવિનના ઉત્ક્રાંતિવાદના પુરાવા રૂપ અવશેષો જ જૈન ધર્મના અવસર્પિણકાળના પુરાવા બની શકે તેમ છે. ફકત એ વિશે વધુ સંશોધન થવું જરૂરી છે. - જબૂઢીપ સંગ્રહણી સૂત્રમાં જણાવ્યા પ્રમાણે પૃથ્વી ગાળ નથી અને ફરતી નથી એ સનાતન સત્ય છે. તેને વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા આપણે સિદ્ધ કરી અપવું પડશે. પૃથ્વી સંપૂર્ણ દડા જેવી ગોળ હોય છે, જેમ પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણ થાય છે તેમ સંપૂર્ણ રીતે ઉત્તરદક્ષિણ પ્રદક્ષિણા થવી જોઈએ. જેમ ઉત્તર પ્રવ ઉપર થઈને વિમાનમાં મુસાફરી થઈ શકે છે 1. The Pyramid Power. Pp. 20
SR No.022269
Book TitleJambudwip Laghu Sangrahani
Original Sutra AuthorN/A
AuthorVijayodaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages154
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy