SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 15 પ્રાચીન દાર્શનિક સાહિત્યના મૂર્ધન્ય વિદ્વાન શ્રી નગીનભાઈ જે. શાહ તથા વિદ્વાન આચાર્ય શ્રી વિ. શીલચંદ્રસૂરિજીએ પ્રેરણા–પ્રોત્સાહન–પીઠબળ પૂરાં પાડ્યાં છે. ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટે આજીવિક સંબંધી અધિકરણ આ પુસ્તકમાં છાપવાની સંમતિ આપી છે. શ્રી કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર, શ્રી મહાવીર આરાધના કેન્દ્ર (કોબા)એ શ્રી એ. એલ. બશમનું દુર્લભ પુસ્તક "History and Doctrines of Ājivikas" વાપરવા આપ્યું છે. જૈ.સા. અકાદમી, ગાંધીધામે પુસ્તકનું પ્રકાશન કરવાનો ભાર ઉઠાવ્યો છે. શ્રી ભરત સી. શાહ (અમદાવાદ) વિવિધ રીતે ઉપયોગી બન્યા છે. સી-ટેક કોમ્પ્યુટર્સવાળા યોગેશભાઈ ખત્રી (માંડવી-કચ્છ)એ સુંદર ટાઈપસેટિંગ કરી આપ્યું છે; હરનીશ શાહ (માંડવી-કચ્છ)એ આવરણ ચિત્ર તૈયાર કરી આપ્યું છે. સૌના સ્નેહપૂર્ણ સહયોગ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વિદ્વર્ગને વિનમ્ર વિનંતિ કે ‘નિયતિ દ્વાત્રિંશિકા'ના પાઠ/અનુવાદ/વિવરણ અંગે પોતાનો પ્રતિભાવ તથા સૂચનો પાઠવી મને આભારી કરે અને દિવાકરજીની દ્વાત્રિંશિકાઓના મર્મોદ્ઘાટનની પ્રક્રિયાને આગળ ધપાવે. સંપર્કઃ જૈન મહાજન ઓફિસ જૈન દહેરાસર, નાની ખાખર – ૩૭૦ ૪૩૫ કચ્છ, ગુજરાત. દૂરભાષ : (૦૨૮૩૮) ૪૪૮૫૧ મુનિ ભુવનચંદ્ર માંડવી (કચ્છ) તા. ૧૧-૧-૨૦૦૨
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy