SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) પિંડસ્થ:- યોગીઓ નાભિમલ વગેરેમાં જે ઈષ્ટદેવતા વગેરેનું ધ્યાન કરે છે તે પિંડસ્થ ધર્મધ્યાન. (૪) રૂપાતીત - નિર્લેપ, નિરૂપ, ચિદાનંદમય એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધર્મધ્યાન. (D) શુક્લધ્યાન :- તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે :() પૃથકત્વવિર્તસવીચાર – દ્રવ્યના અનેક પર્યાયોનું વિવિધ નયોને અનુસારે અર્થ, વ્યંજન અને યોગની પરાવૃત્તિવાળું ચિંતન તે પૃથકત્વવિતર્કસપ્રવીચાર શુક્લધ્યાન. તે ત્રણ યોગવાળાને હોય છે. (I) એકત્વવિતર્કઅપવીચાર – દ્રવ્યના એક પર્યાયનું અર્થ, વ્યંજન અને યોગની પરાવૃત્તિ વિનાનું અભેદપ્રધાન ચિંતન તે એકત્વવિતર્ક અપ્રવીચાર શુક્લધ્યાન. તે એક યોગવાળાને હોય છે. (i) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી - નિર્વાણ સમયે સૂક્ષ્મ કાયયોગના આલંબનથી બાદર કાયયોગનો નિરોધ કરનારા કેવળીનું ધ્યાન તે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શુક્લધ્યાન. તે કાયયોગવાળાને હોય છે. (૫) વ્યવચ્છિન્નક્રિયાઅપ્રતિપાતી – શૈલેષી અવસ્થામાં રહેલા કેવળીનું ધ્યાન તે વ્યવચ્છિત્રક્રિયાઅપ્રતિપ્રાતી શુક્લધ્યાન. તે યોગરહિત કેવળીને હોય છે. વૈષપરિવર્તનની સાથે હૃદયનું પરિવર્તન થવું જોઈએ. સ્વચ્છેદ અને પ્રમાદ એ બન્ને પતનના કારણ છે. a વાણી કરતા વર્તનનું મૂલ્ય અધિક છે. આસક્તિ એ જ દુઃખરૂપ બંધન છે. તેથી તેવું બંધન થાય તેવી વસ્તુઓ છોડી દેવી. ૪ પ્રકારના ધ્યાન
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy