SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અય શ્રી સજતી ચરિત્ર. ૧૨૯ નિક શ્રમ લઈ પાતાના વિષયેાપભાગ સુખમાં વીલન લાવે છે, એમ ગણીને તેમની હાંસી કરે છે. વૃદ્ધજનના ઉપદેશને વૃદ્ધાવસ્થાના વૈકલ્યના પ્રલાપ છે એમ ધારે છે. પ્રધાનના ઉપદેશને અનુવર્તવું એ પેાતાની બુદ્ધિના પરાજ્ય કહેવાય એમ જાણી તેને વિષ્કાર છે. હીતવાદી પર કાપાયમાન થાય છે. સથા જે અહરનીશ હાથ જોડીને સર્વ અન્ય કાર્ય ત્યજી દઈ ઘડી ઘડી દેવતાઓની માફક તેમની સ્તુતિ કરે છે, અથવા તેમનુ મહાત્મ્ય ઉત્પન્ન કરે છે. તેનુ જ તેઓ અભિનદન કરે છે. તેની સાથેજ ભાષણ કરે છે, તેનેજ પાસે રાખે છે, તેવુજ સમવષઁન કરે છે, તેની સાથેજ સુખે રહે છે, તેનેજ દાન કરે છે, તેનેજ મીત્ર કરીને સ્થાપે છે. તેનુંજ વચન સાંભળે છે, તેના ઉપરજ બધા પ્રસાદ વરસાવે છે, તેનેજ બહુ માન આપે છે, અને તેનેજ પાતાના અનાવે છે. ભાલી મુનિ કહે છે હું રાજા સજતી ! લક્ષ્મી આવી રીતે કામ, ક્રોધને વધારનારી, માહ ઇર્ષ્યાને પાષણ કરનારી, અન્ધુ વગમાં વૈર વધારનારી, અનેક રાજાઓએ ભાગવેલી, ત્ય!ગીઓએ તેની દુર્ગચ્છા કરેલી, એવી દગાબાજ લક્ષ્મીએ કાને ઘેલા બનાવ્યા નથી ? એના મેહપાસમાં સપડાયલા કણુ દુર્ગતિએ નથી ગયા ? હે રાજન ! એ ચપળાના ભરાંસે રાખી બેઠેલા જરૂર ઠગાયા છે. માટે એવી અસ્થિર લક્ષ્મીના અને તેના આરભના ત્યારે ત્યાગ કરવા જોઈએ. આ ત્હારૂ ચૌવન અને રૂપ એવી રીતે સાચવવું જોઈએ કે, કાઇ તારી હાંસી કરી શકે નહિ, સાધુ પુરુષો નિંદા કરે નહિ, ગુરુએ ધિક્કારે નહિ, મિત્રા ઢમકા દે નહિ, વિદ્વાન લેાક તારે માટે શાકાતુર થાય નહિ, વ્રપટા તને ઠગે નહિ, કુશળ પુરુષા હસે નહિ, કાસીને તારા સ્વાદ લાગે નહિ, સેવક રૂપી વરૂ તને વળગે નહિ, ધૂત લાકા છેતરે નહિ, લલનાઓ લલચાવે નહિ, લક્ષ્મી તારી વીંટખના કરે નહિ, મદ નચાવે નહિ, મદન ઉન્મત્ત કરી ૐ નહિ, વિષય ક્દમાં નાખી દે નહિ, રાગ કાંઈ પણ વીકાર કરે નહિ, અને ૧૭
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy