SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી સંજતી ચરિત્ર. ૧૦૮ છે. માટે જે આપ પણ દાન નહિ આપે તે અમારા જેવી થીતિ થશે. માંખો ઘણું ઝાડપરથી થોડે થે રસ ચૂસી લાવી મધપુડે બનાવે છે, પરંતુ નથી તેમાંથી મધ ખવાતું કે નથી દાન દેવાતું. છેવટે અનાર્ય માણસ આવી તે મધપુડે ઉપાડ જાય છે. ત્યાંથી માંખ ઉઠી અહિં આવી હાથ ઘસી કહે છે કે, હે રાજ! અમારી પાસે સંચય કરેલું કાંઈ ન રહ્યું, અને હાથ ઘસતી રહી, માટે મારે દાખલો લઈ દરેક માણસે સમજવું જોઈએ કે, જે દાન આપવામાં નહિં આવે તે મારી માફક હાથ ઘસતાં ચાલ્યા જવું પડશે, અને પરભવે દુઃખી થવું પડશે. अथ श्री संजती चरित्र.' પંચાળ દેશમાં કંપીલપુર નગરને વિષે જીતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેસઠ કળાની જાણ, રૂપ, ગુણે કરી સહિત ધારણ નામે રાણી હતી. એક દિવસ મધ્યશશી રાત્રિએ સારાં સ્વમ સહિત પાંચમા દેવલે થી પુન્યવંત છવ તેની કુખે આવી ઉત્પન્ન થયો. આ ખબર રાજાના જાણવામાં આવતાં બન્નેને ઘણું જ આનદ પ્રાપ્ત થશે. સવા નવ માસ પૂર્ણ થતાં પુત્રને જન્મ થયે. બાર દિવસે અશુચિ દૂર થયે કુટુંબ વગેરેને જમાડી જણાવ્યું કે, પુત્ર જીવતા રહેતા નહિ હોવાથી ઘણ જણ પુત્રના ઉલામણું નામ–jજીઓ, ધુળીઓ વગેરે પાડે છે, તેવી રીતે અમે પણ આ પુત્રનું નામ સંજતી રાખીએ છીએ, માટે સૈ તેને સજતી કહી બેલાવજે. આ પ્રમાણે નામ પાડ્યા પછી તે પુત્ર + આ ચરીત્ર ૧૮ મા અધ્યયનને આધારે ઉપદેશ તરીકે લખ્યું છે, પણ સૂત્રના શબ્દાથે નથી લખ્યું, માટે વાંચનારે ધીરજથી વાંચવું. ટીકા તથા બીજા ગ્રંથને આધાર પણ છે.
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy