SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ હારી જાતિ કઈ? કુળ કયું? દેવ કોણ? ગુરૂ ક્યા? ધર્મ કયો? અભિગ્રહ ક્યા? અને અવસ્થા કઇ? પિતાનું કર્તવ્ય કર્યું કે નહિ ? કાંઈ અકૃત્ય (ન કરવા ગ્ય) કરયું કે શું? મહારે કાંઈ કર્તવ્ય કરવાનું બાકી રહ્યું છે કે શું? કરવાની શક્તિ છતાં (પ્રમાદથી) હું કરતું નથી એવું કાંઈ છે? પારકા જન હારૂં શું (સારૂં કે માઠું) જુએ છે? હું પિતાનું (સારું ભાડું) શું જોઉં છું? (હારામાં રહેલો ) કયો દોષ હું છોડતો નથી ? એમજ આજે તિથિ કઈ? અરિહંતનું કલ્યાણક ક્યું ? તથા હારે આજે શું કરવું જોઈએ? ઇત્યાદિ વિચાર કરે, આ ધર્મ જાગરિકામાં ભાવથી પોતાનું કુળ, ધર્મ, વ્રત, ઈત્યાદિકનું ચિંતવન, દ્રવ્યથી સદ્ગુરૂ આશિકનું ચિંતવન, ક્ષેત્રથી “હું કયા દેશમાં ? પુરમાં? ગામમાં ? અથવા સ્થાનમાં છું?” એ વિચાર તથા કાળથી “હમણું પ્રભાતકાળ છે? કે, રાત્રિ બાકી છે ?” ઈત્યાદિ વિચાર કરે. પ્રસ્તુત ગાથાના પુત્રધનિયમig” એ પદમાં “આદી” શબદ છે. તેથી ઉપર કહેલા સર્વ વિચારનો અહિ સંગ્રહ કયો એવી ધર્મજાગરિકા કરવાથી પિતાનો જીવ સાવધાન રહે છે, અને તેથી વિરૂદ્ધ કર્મનો તથા દેષાદિકને ત્યાગ, પોતાના આદરેલા વ્રતને નિર્વાહ, નવા ગુણને લાભ, અને ધર્મની ઉપાર્જન ઇત્યાદિક સારા પરિણામ થાય છે. સંભળાય છે કે, આનંદ, કામદેવાદિક ધર્મી લોકો પણ ધર્મ જાગરિકા કરવાથી બેધ પામ્યા, અને શ્રાવકપ્રતિમાદિ વિશેષ ધર્મ આચરવા લાગ્યા. માટે ધર્મ જાગરિકા જરૂર કરવી. ધર્મજાગરિકા કરી રહ્યા પછી પ્રતિક્રમણ કરનાર શ્રાવકે રાત્રિ પ્રતિક્રમણ કરી, તથા ન કરનારે ન કરી કારાગાદિમય કુમ, કષાદિમય દુસ્વમ તથા માઠા ફળનું સૂચક સ્વમ એ ત્રણેમાં પહેલાના પરિવારને અર્થ એકસો આઠ શ્વાસોશ્વાસને કાઉસ્સગ્ન કર, અને બાકીના પરિહારને અર્થે સે શ્વાસે શ્વાસને કાઉસ્સગ્ન કર. વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે મોહ, માયા, લોભાદીકથી ઉત્પન્ન થયેલ કુસ્વમ એટલે સ્ત્રી ભોગ વગેરે. # કોધ, માન, ઈર્ષ, વિવાદથી ઉત્પન્ન થયેલ સ્વમ. ૮૪
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy