SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 1. SPIRITUAL LIGHT. કેવલજ્ઞાનાવરણમાંથી નિકળેલી ઝાંખી પ્રભાને ઓછાદિત કરનાર હોવાથી દેશવાતિ છે. આવી રીતે સર્વત્ર સમજી લેવું. જેવા પ્રકારને અધ્યવસાય હોય છે, તેવા પ્રકારને રસ કર્મના અણુઓમાં બંધાય છે. દુષ્ટાન્ત તરીકે જેમ કેઈએ એક વાસણમાં એક શેર કરીયાતું નાંખી તેમાં ચાર શેર પાણી રેડી તેને, એક શેર પાણી બાકી રહ્યું ત્યાં સુધી ઉકાળ્યું ત્યારે તેમાં જે રસનું સત્વ બંધાયું, તેને ચઉઠાણુઓ રસ, બશેર પાણી બાકી રહેતાં ત્રણ ઠાણીઓ, ત્રણ શેર પાણી બાકી રહેતાં દુઠાણીઓ અને ચાર શેરમાંથી કંઈ પણ પાણી ઓછું ન થતાં, કેરીયાતાની જે સ્વાભાવિક કડવાશ છે, તેને એકઠાણી રસ કહેવાય છે. આ દષ્ટાન્ત પ્રમાણે કર્મના અણુઓમાં પણ જે રસબંધાય છે, તે નાના પ્રકારનો હોય છે કેાઈ ચઉઠાણી, કોઈ ત્રીઠાણી, કોઈ દુઠાણીઓ અને કોઈ એકઠાણીએ. આમ રસભેદ બંધાવામાં કારણ અધ્યવસાયની વિચિત્રતા છે. સર્વ ધાતિ પ્રકૃતિઓને ગમે તે રસ ( ચઉઠાણીઓ, ચાહે ત્રિકણીઓ યા દુઠાણીઓ હોય, એકઠાણીઓ હોયજ નહિ ) સર્વઘાતિજ હોય છે. આથી સર્વઘાતિ પ્રકૃતિઓને રસસ્પર્ધક ( રસને જ ) અત્યંત ગાઢ, અત્યંત ચિકણો હવે એ સ્વાભાવિક જ છે. દેશઘાતિ પ્રકૃતિઓના રસસ્પર્ધક ( રસસમૂહ ) પણ ચઉઠાણીયા, વિઠાણીયા, દુઠાણુયા અને એકઠાણીયા હોય છે. દેશઘાતિના ચઠાણીયા અને ત્રિકોણીયા રસસ્પર્ધક સર્વઘાતિ જ હોય છે, બેઠાણીયામાં કેટલાક સર્વાતિ અને કેટલાક દેશઘાતિ હોય છે અને એકઠાણીયા રસ દેશઘાતિ જ હોય છે. સર્વધાતિ, દેશધાતિ કર્મોના સર્વઘાતિ રસને નિબળ બનાવ્યા બાદ ઉદયમાં આવતા તે રસને ક્ષય અને ઉદયમાં અપ્રાપ્ત તે રસનું વિધ્વંભન (ઉપશમ) કરવું, તેનું નામ “ક્ષપશમ’ છે. ઉદાહરણ તરીકે અવધિજ્ઞાનાવરણને જે સર્વઘાતિ યા દેશદ્યાતિ રસ અવધિજ્ઞાનને અટકાવનાર છે, તેને અતિનિર્બળ બનાવી દેવાથી જે પ્રભા ઝગમગતી બહાર આવે છે, તે અવધિજ્ઞાનને ક્ષપશમ , અથવા અવધિજ્ઞાન પ્રગટયું સમજવું. ક્ષયપશમ દેશવાતિ પ્રકૃતિઓ ઉપરાંત કેટલીક સર્વઘાતિ પ્રકૃતિઓને પણ થાય છે. જેવી કે-મિથ્યાત્વે, અનન્તાનુબધી વગેરે. વિશેષ એટલું ધ્યાનમાં રાખવું કે-સર્વધાતી પ્રકૃતિઓને 768
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy