SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] SPIRITUAL LIGHT. અર્થબેધરૂપ નહિ હેવાથી શાબ્દબેધ કહી શકાય નહિ, તે તે જ્ઞાનેને મતિજ્ઞાનમાં યા શ્રુતજ્ઞાનમાં સમાવેશ કરવો ? આના સમાધાનમાં સમજવું કે-એ બધાં જ્ઞાને શાબ્દબોધ છે. હકીકત એમ છે કે શબ્દ સાંભળીને અર્થને જે બોધ થાય છે, તે, શબ્દ અર્થના સંકેતસ્મરણને આભારી છે. વાદિ દેવસૂરિ મહારાજનું સૂત્ર છે કે – વામાવિસામર્થ્ય-સમાપ્પામર્થઘનિદ્રાનં : ”+ અર્થાત–શબદથી અર્થને બોધ થવામાં સ્વાભાવિક શક્તિ અને સંકેત એ બંને કારણે છે. જે શબ્દને જે અર્થમાં સંકેત જાણ્યા પછી તે શબ્દથી તે અર્થનું પ્રતિભાન તરત થાય છે. આ ઉપરથી પ્રસ્તુતમાં એજ તાત્પર્ય ખેંચવાનું છે કે સંકેત મરણથી થતાં જ્ઞાન શાબ્દબોધ જ છે. ઉધરસ, છીંક, હસ્તચેષ્ટા, વગેરે જે કે શબ્દ નથી, છતાં તેનાથી અર્થબોધ થવામાં સંકેતસ્મરણનીજ પ્રધાનતા હોવાથી તેનાથી થત. બોધ શાબ્દબોધ કહી શકાય છે. પુસ્તકનું વાંચન કરવામાં કોન્દ્રિયને નહિ, કિન્તુ ચક્ષુને વ્યાપાર હોવા છતાં તે અક્ષરોથી બોધ સંકેતજ્ઞાન દ્વારા થતો હોવાથી તે વાંચનથી થતું જ્ઞાન શાબ્દબોધજ સમજવું. એ પ્રમાણે ઉપસેલા અક્ષરે ઉપર હાથ ફેરવી ફેરવી આંધળા માણસો જે વાંચે છે અને હેરા તથા મૂંગા માણસને હાથની નિશાનીઓથી સમજાવતાં તેઓને જે સમજણ પડે છે, તે બધું શાબધજ છે. આ રીતે શાબ્દબોધની વ્યાખ્યા સર્વત્ર સમજી લેવી, અને જે જે શાબ્દબોધ તે શ્રુતજ્ઞાન સમજવું. મતિજ્ઞાનના ભેદો પિકી જે કૃતનિશ્રિત ભેદ છે, તે શાબ્દધ નહિ હોવાથી શ્રુતજ્ઞાન કહેવાય નહિ, એ ધ્યાનમાં રાખવું. છોકરાને “ આને ટેપી કહેવાય, આને છત્રી કહેવાય, આને ઘડીઆળ કહેવાય ”—એ પ્રકારે • શિખવ્યા પછી જ્યારે તે છોકરે ઘડીઆળને જોઈને ઘડીઆળ સમજે છે, ત્યારે તેનું તે જ્ઞાન પૂર્વકાળમાં પ્રાપ્ત થયેલા શાબ્ધધના સંસ્કારથી + પ્રમાણનયતત્વાકાલંકારના ચેથા પરિચ્છનું ૧૧ મું સૂત્ર * વાંચવું, એ દેખતા માણસને ચક્ષુથી અને આંધળા માણસોને સ્પર્શનથી થાય છે.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy