SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ * અધ્યાત્મતત્વોલેક. [ સાતમુંશકે છે. એકાગ્ર’ કે ‘નિરૂદ્ધ અવસ્થા એકદમ પ્રાપ્ત થઈ શકતી નથી, અતઃ તે અવસ્થા ઉપર આવવાને જે જે સાધનભૂત માર્ગો છે, તે સર્વને કેગના વિભાગ તરીકે ગણવામાં બાધ નથી. ચિત્તની સંપૂર્ણ સાત્ત્વિક અવસ્થાની પ્રાપ્તિના ઉપાય તરીકે જે જે ભૂમિકાઓ ઉપર પસાર થવાની જરૂર છે, તે સર્વની અંદર અમુક અમુક અંશે ચિત્તવૃત્તિને ધ રહેલો હેવાથી તે બધી ભૂમિકાઓ કેગના લક્ષણમાં લઈ શકાય છે. - અહીં એક વાત ધ્યાન આપવા જેવી છે કે જૈન દૃષ્ટિએ ધ્યાનના જે બે વિભાગો, ધર્મધ્યાન અને શુકલધ્યાન, બતાવવામાં આવ્યા છે, તેમાં ધર્મધ્યાનની અંદર અને શુક્લધ્યાનના પ્રથમ ભેદની અંદર ચિત્તનો વિલય કરવામાં આવતેજ નથી, કિન્તુ ચિત્તની એકાગ્ર શુભચિન્તાશ્રેણી ચાલે છે. વસ્તુતઃ ચિત્તને મારી નાંખવાનો પ્રયત્ન કરવાની જરૂરજ નથી અને એમ બનતું પણ નથી. હકીક્ત એમ છે કે ધર્મધ્યાનના ભેદમાંથી પસાર થઈ જ્યારે ધ્યાનના પ્રથમ ભેદમાં અવાય છે, ત્યારે તે દિશામાં બહુ જ એકાગ્ર સૂક્ષ્મ ચિન્તાણી ચાલે છે, અને ત્યાર પછી શુકલધ્યાનના બીજા પ્રકારમાં એક અણુના એક પર્યાય ઉપર જ પૂર જોશથી ધ્યાનાગ્નિ જાજવલ્યમાન હોય છે. તે ધ્યાનની સમાપ્તિ થતાંજ સ્વત એવ મનને વિલય, આવરણોનો ક્ષય અને કેવલજ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે. પ્રશસ્ત મનના ત્રણ પ્રકાર એ છે કે-મનની શુભપ્રવૃત્તિ, મનની સ્થિરતા અને મનને વિલય. ક્રિયાયેગની અંદર મનની શુભ પ્રવૃત્તિ, જ્ઞાનયોગની અંદર મનની સ્થિરતા અને જ્ઞાનની પરાકાષ્ટાની સ્થિતિમાં મનનો વિલય થઈ જાય છે. છઠ્ઠી ગુણસ્થાન સુધી મનની શુભ પ્રવૃત્તિ છે, સાતમાં ગુણસ્થાનથી મનની સ્થિરતાનો પ્રકર્ષ થાય છે અને બારમા ગુણસ્થાનના અતમાં મનને વિલય થાય છે. - આના પછીના ચોથા શ્લોકમાં કેગના જે પાંચ પ્રકારો બતાવવામાં આવ્યા છે, તેમાં “અધ્યાત્મ” અને “ભાવના એ મનની શુભ પ્રવૃત્તિમાં, ધ્યાન” તથા “સમતા એ મનની શુભપ્રવૃત્તિ તથા સ્થિરતામાં અને વૃત્તિસંક્ષય” એ મનના વિલયમાં આવે છે. આ શ્લેકમાં પતંજલિના બતાવેલા યોગના જે બે ભેદ-સંપ્રજ્ઞાત અને અસંમજ્ઞાત–ઉલ્લેખવામાં આવ્યા છે, તેમાં “સંપ્રજ્ઞાત સમાધિ 746.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy