SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, [ ત્રીજુંકૂર્મપુરાણમાં પણ કહ્યું છે કે – " न द्रुह्येत् सर्वभूतानि निर्द्वन्दो निर्भयो भवेत् ।। न नक्तं चैवमश्नीयाद् रात्रौ ध्यानपरो भवेत् " ॥ (૨૭ મો અધ્યાય પૂ. ૬૪૫ ) સર્વ પ્રાણિઓ ઉપર હરહિત અને નિર્જ તથા નિર્ભય રહેવાની સાથે રાત્રિએ ભોજન નહિ કરતાં ધ્યાનમાં તત્પર રહે.” . " आदित्ये दर्शयित्वाऽन्नं भुञ्जीत प्राङ्मुखो नरः" । એ પણ તેજ પુરાણના ૬૫૩ મા પૃષ્ઠનું વાક્ય છે. એને અર્થ એ છે કે-“સૂર્યની હયાતીમાં ગુરૂ કે વડીલને અન્ન બતાવી પૂર્વ દિશા તરફ ભોજન કરે.” આવી રીતે અન્ય પુરાણ અને અન્ય ગ્રન્થમાં પણ રાત્રિભોજનને નિષેધ કરનારાં ઘણાં વાક્યો મળી આવે છે. યુધિષ્ઠિરને સંબોધન કરી ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે-ગૃહસ્થ કે સાધુ, કેઈએ રાત્રે પાણી પણ પીવું ન જોઈએ. તે ક આ છે – " नोदकमपि पातव्यं रात्रावत्र युधिष्ठिर ! । तपस्विनां विशेषेण गृहिणां च विवेकिनाम् " ॥ આ લેકમાં તપસ્વિઓ ( સાધુ-સંન્યાસિઓ ) ને માટે રાત્રિએ પાણી પણ પીવાને ભાર દઈને નિષેધ કર્યો છે. એ ઉપરાંત ગૃહસ્થને પણ એ બન્ધનથી જતા કર્યા નથી. આ વ્રતને નહિ પાલનારા ગૃહસ્થને પણ અવિવેકી બતાવ્યા છે. પુરાણમાં “પ્રદોષવત” “નકતવ્રત” બતાવ્યા ઉપરથી કેટલાકે રાત્રિભોજન તરફ લલચાય છે. પરંતુ આથી રાત્રિભોજનના નિષેધના કે અપ્રમાણ ઠરે, એ વાત યાદ રાખવી જોઈએ. પૂર્વાપરનો વિરોધ ન આવે, તેમ શાસ્ત્રનાં વાક્ય વિચારવાં જોઈએ. “ ઘોષો રજનીકુમ એ વાક્યથી સૂર્યના અસ્ત થયા પહેલાની બે ઘડી જેટલા વખતને રાત્રિનું મુખ સમજવામાં અને તે જ વખતને પ્રદોષકાળ સમજવામાં રાત્રિભોજનના નિષેધક ગ્લૅકેની સાથે વિરોધ રહેશે નહિ. “નકત” 606
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy