SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતવાલોક. [ બીજું સમ્યગ્દષ્ટિ થવાય છે. આથી એ અર્થાત કહેવાઈ જાય છે કે સમ્યગ્દષ્ટિને મોક્ષપ્રાપ્તિમાં વધુમાં વધુ વિલંબ અર્ધ પુદગલપરાવર્ત કાલ સુધી છે.”–૪૬ ભાવાર્થ–પગલપરાવર્ત એ કાળવિશેષની પારિભાષિક સંજ્ઞા છે. આ કાળ ઘણોજ મોટે છે. અનંતાનંત વર્ષે આ કાળમાં પસાર થઈ જાય છે, અતએ આ કાળનું માન બતાવી શકાય તેમ નથી. છતાં જૈનશાસ્ત્રકારે જે પદ્ધતિએ એ કાળની સમજુતી આપે છે, તે આવી રીતે છે Lસમગ્ર લેકના આકાશના પ્રદેશને કમશ: મરણથી સ્પર્શ કરવામાં જેટલે કાળ જાય, તેટલા કાળને પુગલપરાવર્ત કહે છે. કિમે કરીને સર્વ આકાશપ્રદેશોમાં મરણ કરતાં એટલે કાળ જાય તેટલે કાળ અહીં સમજવાને છે. અર્થાત એક જીવનું જે આકાશપ્રદેશમાં રહીને મરણ થયું, તે જીવનું ગમે તેટલો કાળ ગયા પછી પણ તે આકાશપ્રદેશના અનન્તરવસ્તી આકાશપ્રદેશોમાં મરણ થવું જોઈએ, વળી ફરીને ગમે ત્યારે પણ તે પછીના અનન્તર આકાશપ્રદેશમાં મરણ થવું જોઈએ, એમ કમથી (વચ્ચે ગમે તેટલી જગ્યાએ મરણ થવા છતાં પણ) સર્વ આકાશ પ્રદેશમાં મરણ પૂરા કરવામાં જેટલો વખત લાગે, તેટલા વખતને પુતલપરાવર્ત કહે છે. મતલબ કે કેાઈ જીવનું જે આકાશપ્રદેશોમાં મરણ થયું, તે પછીનું તેનું બીજું મરણ તે પ્રદેશના અનન્તરવર્તે પ્રદેશોમાં જ થાય ૧ પુલ પરાવર્તના ચાર પ્રકારે છે–સૂક્ષ્મદ્રવ્યપુતલપરાવર્ત, સૂક્ષ્મક્ષેત્રપુગલપરાવર્ત, સૂમકાળપુદગલપરાવર્ત અને સૂક્ષ્મભાવપુદગલપરાવર્ત. પ્રસ્તુતમાં જે પુદ્ગલપરાવની સમજુતી આપી છે, તે સમક્ષેત્રપુગલપરાવર્તે છે. કારણ કે સિદ્ધાન્તમાં પ્રાયઃ ક્ષેત્રપુગલપરાવર્તન વ્યવહાર છે. + " सूक्ष्माणामपि चतुर्णी पुद्गलपरावर्तानां मध्ये जीवाभिगमादौ पुद्गलपरावर्तः क्षेत्रतो बाहुल्येन गृहीतोऽस्ति । क्षेत्रतो मार्गणायां तस्योपादानात् + + + + તતડચત્રા પર વિરોષનિર્દેશો નારિત તત્ર પુકૂaकायर्सग्रहणे क्षेत्रपुद्गलपरावर्तो गृह्यते ” । .. -प्रवचनसारोद्धारे द्विषष्टयधिकशततमे द्वारे । $10
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy