SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુર્વિધ સંધ છે, તીર્થકરના ઉપદેશના આધારે તેઓના મુખ્ય શિષ્યો-જેઓ “ગણધર” કહેવાય છેશાસ્ત્રની રચના કરે છે, જે બાર વિભાગમાં વિભક્ત હોય છે; એ પ્રત્યેક વિભાગને “અંગ” કહેવામાં આવે છે, અતઃ એ બાર વિભાગ દ્વાદશાંગી” કહેવાય છે. “તીર્થ' શબ્દથી આ દ્વાદશાંગી પણ લેવાય છે, આવી રીતે તીર્થના સ્થાપનાર યા પ્રાજક હોવાથી તીર્થકર કહેવાય છે. દરેક અવસર્પિણ અને ઉત્સર્પિણી કાલમાં (ત્રીજા-ચોથા અરમાં) વીસ વીસ તીર્થંકરે થાય છે. કેઈ પણ તીર્થકર નવીન ધર્મ સ્થાપતા નથી, કિન્તુ પૂર્વે થઈ ગયેલા તીર્થકરથી પ્રકાશમાં આવેલા સનાતન પવિત્ર ધર્મને પુનઃ પ્રકાશમાં મૂકે છે. ધર્મના મુખ્ય પ્રકાશક તરીકેની દષ્ટિએ અને અતુલ લત્તર પુણ્યસામ્રાજ્યને અગે આ તીર્થકર દેવને ઇશ્વર માનવામાં આવ્યા છે. ઉપર બતાવેલી વિશેષતાઓ વગરના કેવલજ્ઞાનધારી વીતરાગ પર માત્માએ સામાન્ય કેવલી કહેવાય છે. એ પ્રાય: તીર્થકરેના શરણુશ્રિત થઈને કેવલજ્ઞાનને પ્રાપ્ત થયેલા હોય છે. ગમે તેને આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થકરના આત્મા જેવોજ બને છે. એ બનેમાં અનન્તજ્ઞાનઆદિ આત્મિક પ્રકાશ તદન સરખે હોય છે, માત્ર બાહ્ય અવસ્થા-વ્યવહારસ્થિતિમાં ફરક રહે છે. જે તીર્થક અને સામાન્ય કેવલજ્ઞાનિઓ આયુષ્ય પૂર્ણ થયે મેક્ષપદને પામે છે, તેઓ ફરીને સંસારમાં આવતા નથી; એથી એ સમજવાનું છે કે સંસારમાં જે જે આત્માઓ તીર્થકર બને છે, તે એક પરમાત્માના અવતાર રૂપે નથી, કિન્તુ સર્વ તીર્થકરે જુદા જુદાજ આત્માઓ છે. મુક્ત થયા પછી સંસારમાં અવતાર લેવાનું જૈનસિદ્ધાન્તને સમ્મત નથી. અસ્તુ. કરાલ કલિકાલને બતાવતાં પ્રસંગતઃ બીજી હકીકત પણ જેવાણી. હવે આપણે પ્રસ્તુતમાં જેવું જોઈએ કે-જેમ મહાસાગરની મુસાફરીમાં ઘણા દિવસો નહિ, પણું ઘણું મહીનાઓ પસાર થઈ ગયા છતાં પણ કઈ દ્વીપ ન મળે, તે મુસાફરોને કેટલી મુંઝવણ થાય છે; મારવાડના સપાટ મેદાનમાં મનુષ્ય ચાલ્યો જાય છે, તે વખતે વૈશાખ મહીનાને પ્રખર તાપ પડી રહ્યો છે, એવી અવસ્થામાં ગરમીથી તંગ થયેલા, તૃષાથી વિ
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy