SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGNr. સુધી તે આત્માન પતે સંસાર છે, અને જ્યારે કપાયેના શયદ્વારા ઈન્દ્રિયો તથા મનને જીતી નિર્મોહ દશામાં પ્રાપ્ત થઈ પૂર્ણ વિકાસમાં આવે છે, ત્યારે તેજ આત્મા મેક્ષ કહેવાય છે. સંસાર અને મોક્ષ બીજું કંઈ નથી, કિન્તુ આત્મા એજ સંસાર અને આત્મા એજ મેક્ષ કહી શકાય છે. આત્મસ્વરૂપના પૂર્ણ પ્રકાશરૂપ મેક્ષને માટે પ્રથમતઃ કષાયો દૂર કરવા જોઈએ છે. કપાયો પૈકી કે ઘને નિગ્રહ ક્ષમાથી થાય છે. માનને પરાજય મૃદુસ્વભાવ રાખવાથી થાય છે, માયા (કપટ ) ને સંહાર સરળ બનવાથી થાય છે અને લોભનું નિકંદન સોષ પકડવાથી થાય છે. આ કષાયોને વિજય કરવા માટે ઈન્દ્રિયોને સ્વાધીન બનાવવી જોઈએ. ઈન્દ્રો ઉપર સત્તા મેળવવા મનને શુદ્ધ કરવાની આવશ્યકતા છે. મનની ઉશ્રૃંખલતાને રોકવાનું સાધન, વૈરાગ્ય અવસ્થા અને સકિયાઓનો અભ્યાસ છે. મનને નિરોધ કરવામાં રાગ-દ્વેષ ઉપર અંકુશ મૂક ખાસ અગત્યનું છે. રાગ-દ્વેષ રૂપ મળને દૂર કરવાનું કામ સમતારૂપ જળનું છે. સમતા ગુણને પ્રાદુર્ભાવ મમતાને અટકાવ્યા વગર કદાપિ થતું નથી. મમતાને દૂર કરવા “નિત્યં સંસારે મતિ ના ચયના ” –“સંસારમાં જે કઈ આંખથી દેખાય છે, તે બધું અનિત્ય છે” એવી અનિત્યભાવના અને તે સિવાય બીજી અશરણ વગેરે ભાવનાઓ ભાવવી જોઈએ. આ ભાવનાઓને વેગ જેમ જેમ પ્રબળ થતું જાય છે, તેમ તેમ મમત્વરૂપ અન્ધકાર તે પ્રમાણમાં ક્ષીણ થતું જાય છે, અને તે પ્રમાણમાં સમતાની જળહળતી તિ બહાર આવે છે. ધ્યાનને મુખ્ય પાયો આ સમતા છે. આ સમતાની પરાકાષ્ઠાના પરિણામે કોઈ પણ એક વસ્તુ ઉપર એકાગ્રતા સિદ્ધ થઈ શકે છે. ધ્યાનની શ્રેણીમાં આવ્યા પછી * “સખ્ય હિ મનઃ wr! પ્રમrશે વઢવ દ ા तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् " ॥ " असंशयं महाबाहो ! मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन च कौन्तेय ! वैराग्येण च गृह्यते " ॥ . –ભગવદીતા,
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy