SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ હે દેવી ! મને એવું ઉત્તમ વરદાન આપ કે મારા ભવને વિરહ થાય, અર્થાત્ મારે ફરી જન્મ લેવા ન પડે. અષ્ટકના છેલલા લેકમાં अष्टकाख्यप्रकरणं कृत्वा यत्पुण्यमर्जितम् । विरहात्तेन पापस्य भवंतु सुखिनो जनाः। આ અષ્ટક રચવાથી જે પુણ્ય પ્રાપ્ત થયું તે પુણ્યવડે પાપને વિરહ-વિયોગ નાશ થઈ જનસમૂહ સુખી થાઓ. વળ શાસ્ત્રવાર્તા સમુચ્ચયના છેલ્લા આઠમાં સ્તબકને અંતિ कृत्वा प्रकरणमेतद्यदवाप्तं किंचिदिह मया कुशलं. भवविरहबीजमनघं लभतां भव्यो जनस्तेन ॥ આ શાસ્ત્રવાર્તા સમુચ્ચય રચવાથી જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું તેને લીધે ભવ્ય જીવો પાપરહિત સંસારવિરહ મેક્ષનું બીજ (બેધિબીજ) પામે. પ્રસ્તુત ગ્રથના (ધર્મ બિન્દુના) છેવટના ભાગમાં પણ વિરહ -શબ્દ મૂકેલે છે. હવે આ વિરહ શબ્દ શું સૂચવે છે તે આપણે વિચારીએ. તેનું એક કારણ તે ઉપર આપણે વિચારી ગયા કે તેમના બે પ્રિય શિષ્ય અને ભાણેજ હંસ અને પરમહંસના વિરહથી થયેલું દુ:ખ સૂચવવા તે વિરહ શબ્દ પિતાના ગ્રન્થને અંતે મૂકેલ લાગે છે. (૨) સર્વજ્ઞ, સર્વદર્શીને અથવા પરમ જ્ઞાનીનો વિરહ થવાથી પરમ જ્ઞાન પામવા યોગ્ય સામગ્રીને વિરહ તેમને લાગ્યો હોય અને તેથી આ વિરહ શબ્દ મૂક હેય. . (૩) વિરહ શબ્દ કોઈવાર ભવની પાછળ, કોઈવાર મદનની પાછળ, કોઈવાર પાપની પાછળ એમ મૂક્વામાં આવ્યું છે, તેથી
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy