SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૨ [ ૧૬૧ પૂર્વ પક્ષઃ—પણ અમે તા પરલેાકને જ માનતા નથી, ત્યાં વળી તમે પરલેાકમાં જવાની શી વાત કરેા છે ? ઉત્તરપક્ષ:—સ શિષ્ટ પુરૂષોએ પ્રમાણના બળથી પરલાકના સ્વીકાર કર્યો છે. વળી પરલેાક છે તેના પુરાવા તરીકે એક દલીલ રજુ કરી શકાય. અભિલાષાએ એક બીજાથી સંકળાયેલી છે, જે જે અભિલાષા ઉત્પન્ન થાય છે, તે પ્રથમ ઉત્પન્ન થયેલ અભિલાષપૂર્વક હાય છે. જેમકે ચૌવનાવસ્થામાં ઉત્પન્ન થભેલા અભિલાષ માયાવસ્થામાં ઉત્પન્ન થયેલા અભિલાષ સાથે સંબંધ ધરાવે છે. તેજ રીતે એકજ દિવસના જન્મેલા બાળકને આંખેા ઉચાડતાં, માતાના સ્તનમાં રહેલા દુધની ઈચ્છા થાય છે, તેનું કારણ તે સ ંબધમાં થયેલા પૂર્વ જન્મના સ`સ્કારજ છે. માટે બાળકને થયેલા અભિલાષ તે અન્ય અભિલાષપૂર્વકજ છે, અને અન્ય અભિલાષ તે આ ભવમાં ઉત્પન્ન થયા નથી, માટે તે અન્ય અભિલાષ પૂર્વભવમાં થયેલા હોવા જોઈએ માટે પરલાક છે એમ સિદ્ધ થાય છે. આ સંબંધમાં ઘણા પુરાવા આપી શકાય, પણ એકજ પુરાવા આપી આ વિષયને બંધ કરીએ. છીએ, પ્રેાફેસર મેક્ષમ્યુલર લખે છે કેઃ— C 1 “ જે મનુષ્યેાના સંબધમાં આપણે પહેલ વહેલી જ વાર આવીએ, છતાં તેના પ્રત્યે હૃદયમાં જે પ્રેમની લાગણી ઉત્પન્ન થાય છે, તે પુરૂષાના તે આપણા પ્રથમ પૂર્વભવમાં પ્રેમમય સંબધ થયેલા હેવા જોઈએ, તેમજ જે મનુષ્યેાના સંબંધમાં પ્રથમ જ આવતાં તેના ઉપર દ્વેષ અથવા તિરસ્કાર ઉત્પન્ન થાય છે, તે માણુસેાની અને આપણી વચ્ચેના પૂર્વભવના સંબધ કડવાશ ભરેલા હવે જોઈએ.” આ રીતે પૂર્વભવ, પુનર્જન્મની સિદ્ધિ તેણે કબૂલ રાખી હતી માટે દેહને આત્મા અભિન્ન નથી, પણ ભિન્ન છે. तथा देहकृतस्यात्मनानुपभोग इति ॥ ६१ ॥ ૧૧
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy