SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિ દેશના. પક્ષ જેવા તે ધૃત્ત લેાકેાનાં વચનાથી હૃદયમાં ખુશ થતા તે નિર્વિચાર રાજા સભા વિસર્જન કરીને પોતાને ન્યાય તત્પર માનતા ભોજનને માટે પેાતાના આવાસમાં ચાલ્યા ગયેા. દેવદત્તવણિક્ આ ધી સાક્ષાત્ ન્યાયમાર્ગની કુશળતા જોઈને હૃદયમાં અતિશય વિસ્મય પામતા વિચાર કરવા લાગ્યા: અહા! નિર્વિચાર રાજાની રાજ્યનીતિની વ્યવસ્થા પૂર્વે` નહિ જોયેલી અને નહિ સાંભળેલી એવી કોઈ નવીનજ પ્રકારની લાગે છે.” પછી દેવદેિશે સભામાંથી ઉઠી સ્વસ્થાને જઇને વહાણમાંથી માલ ઉતારી ભાડે લીધેલા ઘરમાં ભર્યાં અને ક્રય વિક્રય (વેચવા અને ખરીઢવા ) ના વિચારથી દેવદિન્ન ત્યાં મુખે રહેવા લાગ્યા. એક દિવસે પેલી પરિત્રાજિકાએ તે શ્રેષિપુત્રને પરિવાર સહિત જમાડવાને માટે આદરથી આમ ત્રણ કર્યું. અને ફળા, પકવાન, ભાત, દાળ અને ધૃતાદિ ભાજ્ય પદાર્થાથી તેણીએ સત્ય અને ઉચિત સત્કારપૂર્વક તેને જમાડ્યો. સરલ સ્વભાવી દેઢિન્ન પાતાના પરિવારસહિત ભાજનને માટે ત્યાં આવ્યો. તે વખતે નામ અને ગુણથી ફૂટબુદ્ધિ પરિત્રાજિકાએ, તેના ઉતારાના મકાનમાં એકાંત ગુપ્તસ્થાને પોતાના ખાત્રીદ્વાર પુછ્યા પાસે એક સુવર્ણ સ્થાલ રખાવ્યા. જમીને ઢદ્ઘિન્ન જ્યારે પેાતાને સ્થાને ગયા, ત્યારે તેણીએ તેની પાછળ એક પેાતાના માણસ માલ્યા અને તેના સુખથી આ પ્રમાણે કહેવરાવ્યુ’:~‘અમારો એક સેનાના થાળ આજે ક્યાંક ગુમ થઇ ગયા છે. તમારા પરિજન શિવાય બીજો કોઇ માણસ અહીં આવ્યા નથી, માટે તે બધાને પૂછીને અને ઘરમાં પણ સર્વત્ર તપાસ કરીને જલદી અમને તે પાછા સોંપીઘો, કે જેથી બહાર કોઈને ખબર ન પડે, ” દેવદ્ઘિન્ન કહેવા લાગ્યા:-હુંભદ્ર ! કદાચ કાળના પ્રભાવથી સૂય પશ્ચિમ દિશાએ ઉડ્ડય પામે અને સમુદ્ર પાતાની મર્યાદા મૂકીઢ પરંતુ અમારામાંના કોઇપણ માણસ, રમણીય પરવસ્તુમાં પણ પાતાના હાથ નાખતા નથી; માટે પાતાને ઘેરજ જઇને તેની તપાસ કરો. ”
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy