SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ યુગાદિ દેશના. ચિવાઃ સર્વત્ર હાસ્યાસ્પદ થયે. લક્ષ્મીથી તજાયલા તે પશ્ચાત્તાપ રૂપ અગ્નિથી મળવા લાગ્યા અને જીવનપર્યંત આજીવિકાથી પણ તે દુ:ખિત થયા. હવે તે લક્ષ્મીને શ્રીદેવ તત્ત્વથી દેવતા માનતા હતા. કારણકે “તેજ સાક્ષાત્ અહીં દાન, ભાગ અને મહત્ત્વાદિ ફળ આપે છે. તે સિ વાય જેમના રાય, તેાષનું ફળ અહીં પ્રત્યક્ષ જોવામાં આવતુ નથી, તેવા અજાગલ સ્તન જેવા બીજા દેવતાઓથી શુ?” આ પ્રમાણે ખેલતા તે બીજા સર્વ દેવતાઓના ત્યાગ કરીને પ્રમાદપૂર્વક પુષ્પાદિવડે લક્ષ્મીની મૂર્ત્તિન!જ તે ત્રણ કાળ પૂજા કરતા હતા. એક દિવસે લક્ષ્મીને હસતી જોઇને. તેણે પૂછ્યું- હે માત ! હસવાનું કારણ શું” ? ” લક્ષ્મીએ કહ્યું કે, “ તારૂ' વૃત્તાંત, ” તેણે પૂયુ` કે મારૂં શુ' વૃત્તાંત?' એટલે લક્ષ્મીદેવીએ કહ્યું. કે–“ જેમનાં વચના યથાસ્થિત અર્થ વાળાં છે, જેમણે આંતર શત્રુઓને હુણ્યા છે, સ’સાર સમુદ્રના પાર પમાડી ભવ્ય પ્રાણીઓને જે માક્ષમાં લઇ જનારા છે, સુરાસુર અને રાજાએ જેમના ચરણયુગલને નમે છે, જે જગમાં જંતુઓપર કરૂણાયુક્ત મનવાળા છે અને જે આલાક તથા પલાકનાં સુખને આપવાવાળા છે એવા દેવાધિદેવ સર્વજ્ઞ જિનેન્ધરને મૂકીને હું ભદ્ર ! તું મારી સ્થિરતાની ઈચ્છાથી મને આરાધે છે, પરંતુ મારૂ સ્થય તે પ્રાચીન પુણ્યે થીજ થાય તેમ છે, મારી સેવાથી થાય તેમ નથી.” આ પ્રમાણે લક્ષ્મીએ હાસ્યપૂર્વક કહ્યું એટલે શ્રીવ તેને પુન: કહેવા લાગ્યા હે માતા ! તારી સેવા કરતાં મને જે થવાનુ હાય તે થાઓ. ” તે સાંભળી લક્ષ્મી અદૃશ્ય થઇ ગઇ. 7) પછી બહુ ભક્તિપૂર્વક લક્ષ્મીનુ આરાધન કરતાં કેટલેક દિવસે લક્ષ્મીને શ્યામ મુખવાળી જોઇને શ્રીદેવ તેને પૂછવા લાગ્યા“ હું અખા ! આજે તમારા સુખપર શ્યામતા કેમ દેખાય છે? ” એટલે તેણીએ કહ્યું–“ હે વત્સ ! તારે ધેર વિલક્ષણ પુત્ર જન્મ્યા છે. તેની
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy