SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ -00 गुरुतत्त्वसिद्धिः यदि हि यदर्थं द्वादशवर्षं सुगुरून् प्रतीक्षते साऽपि आलोचनागुर्वभावे पार्श्वस्थादिपार्श्वे ग्राह्यतयोक्ता, आयरियाइ सगच्छे संभोइय- इअरगीअपासत्थे । સાવી-પછાત-વયહિમા-અરિ-સિદ્ધે -∞ ।।૨।। इत्यादिजीतकल्पवचनप्रामाण्यात्, तदानीं प्रतिदिनविधेयाऽऽवश्यकविधिशिक्षणादि तत्पार्श्वे सुतरां कार्यं, शुद्धचारित्र्यभावे । -- ગુરુગુણરશ્મિ -- ભાવાર્થ :- જો જેના માટે બાર વર્ષ સુધી સુગુરુની પ્રતીક્ષા કરે, તે આલોચના પણ તેવા સુગુરુ ન હોવામાં પાર્શ્વસ્થાદિ પાસે લેવાની કહી છે. કારણ કે જીતકલ્પમાં કહ્યું છે કે -“(આલોચના કોની પાસે લેવી ? તો કે - પહેલાં) પોતાના ગચ્છના આચાર્યાદિ પાસે, સાંભોગિક પાસે, અસાંભોગિક પાસે,ગીતાર્થ એવા પાર્શ્વસ્થ-સારૂપિકપશ્ચાત્કૃત પાસે, દેવતા પાસે, પ્રતિમા પાસે, અરિહંત-સિદ્ધ સાક્ષીએ..’’ તો શુદ્ધ ચારિત્રધરના અભાવમાં પ્રતિદિન કરવા યોગ્ય આવશ્યકની વિધિને શીખવાદિ વ્યવહાર તો તેમની (પાર્શ્વસ્થાદિની) પાસે સુતરાં કરી શકાય.. વિવેચન :- પાપભીરુ આત્મા પોતાના દોષોની આલોચના લેવા માટે ૧૨ વર્ષ સુધી સદ્ગુરુની પ્રતીક્ષા કરે, તે છતાં જો સદ્ગુરુ ન મળે, તો પાર્શ્વસ્થાદિ પાસે પણ આલોચના લઈને આત્મશુદ્ધિ કરે - એવું જીતકલ્પમાં જણાવ્યું છે.. હવે જો આલોચના પણ તેમની પાસે લઈ શકાય, તો જ્ઞાન ભણવું-આવશ્યક કરવાની વિધિ શીખવી..એ બધું જે દ૨૨ોજ કરવાનું છે, તે તેમની પાસે કેમ ન કરી શકાય ? (અર્થાત્ એ તો સુતરાં કરી શકાય.) હવે જીતકલ્પમાં કેવા સંજોગવશાત્ પાર્શ્વસ્થાદિ પાસે આલોચના લેવાનું કહ્યું ? તે વિસ્તારથી જોઈએ – * આલોચના કોની પાસે લેવી ? તેનો ક્રમ * (૧) પ્રાયશ્ચિત્તસ્થાનને પામેલા (=અપરાધ કર્યો હોવાથી જેને પ્રાયશ્ચિત્ત આવે) તેવા સાધુ કે શ્રાવકે પહેલાં પોતાના ગચ્છના આચાર્ય પાસે આલોચના લેવી જોઈએ. . આચાર્ય ન હોય તો ઉપાધ્યાય પાસે.. એ ન હોય તો પ્રવર્તકની (–જ્ઞાનાદિ મોક્ષમાર્ગમાં પ્રવર્તાવનાર મહાત્માની) પાસે. . એ ન હોય તો સ્થવિર પાસે. . અને એ પણ ન હોય તો ગણાવચ્છેદક (=ગણ માટે વસ્ત્ર-પાત્રાદિના નિર્વાહ માટેની દેખરેખ રાખનાર મહાત્મા) પાસે.. હવે ધારો કે પોતાના ગચ્છના આચાર્યાદિ કોઈ ન હોય, તો..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy