SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता – ગુરુગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચન:(૨૫) * મોટા અવાજથી ગાય અથવા સામાન્ય સંગીત કરે.. * ખુલ્લાં મુખે (જોરથી ખડખડાટ) હસે.. * (હાસ્યોદ્દીપક વચનો બોલીને કે ચાળા પાડીને) સદા કંદર્પ (હાસ્ય-મજાક) કરે.. * ગૃહસ્થનાં કાર્યોની ચિંતા કરે.. ઓસન્નોને શિથિલાચારીઓને વસ્ત્ર વગેરે આપે.. અથવા તેમની પાસેથી લે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૩) (૨૬) * (આજીવિકાદિ માટે કે લોકોને ખુશ કરવા) ધર્મકથાઓને (શાસ્ત્રોને) કરે.. * ઘેર ઘેર ધર્મકથાને કરતો (=ઉપદેશ આપતો) ફરે.. * ગણતરીથી (=સંખ્યાથી) તથા માપથી (પ્રમાણથી) વધારે (ઘણાં તથા મોટા) ઉપકરણો રાખે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૪) (૨૭) લઘુનીતિ પરઠવવાની બાર ભૂમિ, વડીનીતિ પરઠવવાની બાર ભૂમિ, કાળગ્રહણ લેવા યોગ્ય ત્રણ ભૂમિ - એમ ઉપાશ્રયની અંદર અને બહાર મળીને સત્તાવીશ અંડિલ ભૂમિઓ છે. તેમાં સમર્થ સાધુએ દૂર જવું યોગ્ય છે.. તો આવી ભૂમિને ન પડિલેહે, અર્થાત્ ઉપયોગપૂર્વક ન દેખે, (તે પાસત્નો સમજવો.) તે ભૂમિઓ બધી દિશામાં જઘન્યથી પોતાના હાથપ્રમાણ અને નીચે ચાર આંગળ જેટલી અચિત્ત હોવી જોઈએ.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૫) (૨૮) * ગીતાર્થ (=આગમના જ્ઞાતા), સંવિગ્ન (=મોક્ષાભિલાષી, ઉઘતવિહારી) એવા આચાર્યને કારણ વિના જ છોડી દે.. (અગીતાર્થ-અસંવિગ્નને આગમોક્ત ક્રમથી છોડે એમાં દોષ નથી.) * ક્યારેક પ્રેરણા આપનાર (છત્ર) ગુરુને (વનડું=) ઉત્તર દેવા સામો થાય.. * ગુરુને પૂછયા વિના (કોઈકને) કોઈક (વસ્ત્રાદિ) આપે, અથવા (કોઈક પાસેથી) લે.. અર્થાત્ પૂછ્યા વિના જ આપવા-લેવાનો વ્યવહાર રાખે.. (ઉપદેશમાલા શ્લોક-૩૭૬). વળી તે જીવ - गुरुपरिभोगं भुंजइ, सिज्जासंथारउवगरणजायं । किं ति य तुमं ति भासइ अविणीओ गविओ लुद्धो ॥३७७।। गुरुपच्चक्खाणगिलाण, सेहबालाउलस्स गच्छस्स । न करेइ नेव पुच्छइ, निद्धम्मो लिंगमुवजीवी ।।३७८।।
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy