SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮૦ ટીકાર્ય ઃवह्नि परिणतः ધર્મ:, વક્તિપરિણત લોખંડનો ગોળો વિધ્ન છે, એની જેમ તદ્ભાવપરિણત આત્મા જ ધર્મ છે=શુદ્ધ આત્માના ભાવથી પરિણત એવો આત્મા જ ધર્મ છે. અહીં પ્રશ્ન થાય કે આત્માનો સ્વભાવ છે તે ધર્મ છે, તેમ કહીએ તો આત્મા જ ધર્મ છે, તેમ સિદ્ધ થાય નહિ, પરંતુ આત્મનિષ્ઠ વર્તતી પરિણતિ ધર્મ છે, તેમ સિદ્ધ થાય. તેથી દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી કહે છે – પ્રતિમાશતક | શ્લોક : ૯૫ સ્વમાવપનપ્રવૃત્તિ: ....વ્યુત્પન્નેઃ । સ્વભાવપદની પ્રવૃત્તિ પણ ત્યાં જ છે=તદ્ભાવપરિણત આત્મામાં જ છે; કેમ કે સ્વ=આત્મા, ભાવપદાર્થ છે=ભાવસ્વરૂપ છે, એ પ્રકારની વ્યુત્પત્તિ છે=સ્વભાવ શબ્દની વ્યુત્પત્તિ છે. આહ 7 - અને પ્રવચનસાર-૧/૮માં કહે છે “રિગતિ ..... મુળેઅવ્યો” જેના વડે દ્રવ્ય પરિણમન પામે છે, તે કાળે તન્મય છે—તે પરિણામમય છે, એ પ્રમાણે કહેવાયું છે. તે કારણથી ધર્મપરિણત એવો આત્મા ધર્મ જાણવો. – તપિ ..... સમ્વન્દ્વમેવ । આ પણ=તદ્ભાવપરિણત આત્મા ધર્મ છે એ પણ, અધિકૃતમાં સંબદ્ધ જ છે=અધિકૃત એવા દ્રવ્યસ્તવમાં સંબદ્ધ જ છે=યુક્ત જ છે. ભાવાર્થ: અગ્નિથી પરિણત એવો લોખંડનો ગોળો અગ્નિ છે, એમ દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી કહેવાય છે; કેમ કે દ્રવ્યમાં વર્તતો ભાવ દ્રવ્યથી પૃથક્ નથી, પરંતુ તે ભાવસ્વરૂપ જ દ્રવ્ય છે, તેમ દ્રવ્યાસ્તિકનય માને છે. એ રીતે ભગવાનની પૂજાકાળમાં વીતરાગભાવથી પરિણત એવો આત્મા જ ધર્મ છે; કેમ કે સ્વભાવપદની પ્રવૃત્તિ પણ આત્મદ્રવ્યમાં જ થાય છે. અહીં પ્રશ્ન થાય કે સ્વભાવપદની પ્રવૃત્તિ તો આત્મામાં વર્તતા ભાવમાં થવી જોઈએ, આથી જ પૂર્વમાં કહેલ કે સ્વકીય અનાગંતુક અનુપાધિભાવ ધર્મ છે. તેથી સ્વનો જે ભાવ તે સ્વભાવ કહેવાય, અને તેવો અર્થ કરીએ તો આત્મા જ ધર્મ છે, તેમ કહી શકાય નહિ. તેથી દ્રવ્યાસ્તિકનયથી આત્માને ધર્મ સ્વીકારવા માટે સ્વભાવપદની વ્યુત્પત્તિ કેવા પ્રકારની છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે સ્વ=પોતે ભાવ પદાર્થ છે અર્થાત્ આત્મા પોતે તે ભાવસ્વરૂપ છે, એ પ્રકારની સ્વભાવપદની વ્યુત્પત્તિ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આત્માથી પૃથભૂત એવો કોઈ ભાવ નથી, પરંતુ તે ભાવસ્વરૂપ જ આત્મા છે. તેથી જ્યારે જે ધર્મરૂપ ભાવથી પરિણત આત્મા હોય ત્યારે તે ધર્મરૂપ ભાવથી પરિણત આત્માને જ ધર્મ કહેવાય, એ પ્રકારે દ્રવ્યાસ્તિકનય માને છે; અને એ પ્રકા૨ની દૃષ્ટિથી વિચાર કરીએ તો દ્રવ્યસ્તવમાં પણ ધર્મ સંગત થાય છે; કેમ કે ભગવાનની ભક્તિના કાળમાં વીતરાગના ગુણોમાં ઉપયુક્ત એવો આત્મા તદ્ગુણપરિણત હોય છે. તેથી વીતરાગગુણપરિણત એવો આત્મા ધર્મ છે, તેમ કહેવામાં કોઈ વિરોધ નથી.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy