SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૨ ટીકાર્ય : વત પર્વ ..... વિઘેયમ્ | જે કારણથી આ પ્રમાણે છે=ગાથા-૩૮૯થી ૩૯૧ સુધીમાં કહ્યું કે એક ક્ષેત્રમાં રહેલા પણ જો રત્નત્રય વગેરેમાં ઉપયુક્ત છે, તો કર્મની નિર્જરા કરે છે, એ પ્રમાણે છે. તે કારણથી આ સ્થિત છે. શું સ્થિત છે ? તે સ્પષ્ટ કરે છે – સર્વ પ્રકારે અનુજ્ઞા, જે અનુજ્ઞા યદુતથી બતાવે છે – આ કરવું જ જોઈએ, એ પ્રકારે સર્વ અનુજ્ઞા અને સર્વ નિષેધ, શું સર્વ નિષેધ તે યદુતથી બતાવે છે – આ ન જ કરવું જોઈએ, એ પ્રકારનો નિષેધ સર્વજ્ઞના આગમમાં નથી, ૫ શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી અહીં સંબંધ હોવાને કારણેનાસ્તિ પાસે સંબંધ હોવાને કારણે નથી જ; કેમ કે સર્વ કર્તવ્યોનું દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવ વગેરે અપેક્ષાથી વિધાન અને નિષેધ છે અને દ્રવ્ય વગેરેના વિચિત્રપણાથી ક્યારેક વિધેયના પણ નિષેધનો અવસર હોય અને નિષિદ્ધનું પણ વિધાન પ્રાપ્ત થાય, તે કહેવાયું છે – તે અવસ્થા દેશ-કાળ-રોગો પ્રત્યે પ્રાપ્ત થાય, જેમાં=જે અવસ્થામાં, અકાર્ય કાર્ય થાય, કાર્ય કર્મને કૃત્યને, ત્યાગ કરે. આથી આય=જ્ઞાનાદિનો લાભ, વ્યય તેની હાનિ, તુલના કરે=સાધુ નિશ્ચય કરે, કોની જેમ ? એથી કહે છે – લાભાકાંક્ષી વણિકની જેમ=જે પ્રમાણે આ અર્થાત્ વાણિયો આય-વ્યયની તુલનાથી ઘણા લાભમાં પ્રવર્તે છે, તે પ્રકારે પ્રવર્તે, ફક્ત પ્રવર્તમાન પુરુષે રાગ-દ્વેષના ત્યાગ વડે આત્મા સારી રીતે રંજિત કરવો જોઈએ, શઠપણાથી દુષ્ટ અવલંબન લેવું જોઈએ નહિ. ૩૯૨ાા ભાવાર્થ : ગાથા-૩૮૯થી ૩૯૧ સુધીમાં બતાવ્યું એ પ્રમાણે સાધુને રત્નત્રયીની વૃદ્ધિ, કષાયોની હાનિ, પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિની વૃદ્ધિ, તપ-સંયમ અને ચારિત્રમાં દઢ યત્ન એ જ મુખ્ય અંગ છે અને તેના અંગરૂપે એક ક્ષેત્રમાં નિવાસ આવશ્યક જણાય કે નવકલ્પી વિહાર આવશ્યક જણાય તો તે કર્તવ્ય થાય. તે બતાવવા માટે કહે છે – ભગવાનના પ્રવચનમાં બાહ્ય કૃત્યને આશ્રયીને સર્વ અનુજ્ઞા કે સર્વ નિષેધ નથી; કેમ કે દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવની અપેક્ષાએ જે કૃત્યથી સમિતિ-ગુપ્તિ આદિ ભાવો અતિશય થતા હોય તે કૃત્ય જ સાધુ માટે કર્તવ્ય છે. તેથી તેવા સંયોગમાં સાધુ નવકલ્પી વિહારને બદલે સ્થિરવાસ કરે તોપણ રત્નત્રયીની વૃદ્ધિ થતી હોય તો તે પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞા અનુસાર જ છે. ફક્ત આત્મવંચના કર્યા વગર વિહિત એવી ઉચિત આચરણાને સેવીને રત્નત્રયીની વૃદ્ધિ થતી હોય તો તે આચરણાની ઉપેક્ષા કરવી ઉચિત નથી; કેમ કે ભગવાને તે તે ભાવોના રક્ષણ માટે તે તે આચરણા નિયત કરી છે અને તે ભાવનું રક્ષણ તે આચરણાથી થતું હોય છતાં તે આચરણા ન કરવામાં આવે તો ભગવાનના વચન પ્રત્યે અનાદરની બુદ્ધિ થાય છે, તેથી પરમાર્થથી રત્નત્રયીની વૃદ્ધિ થતી નથી, કેમ કે આત્મવંચનારૂપ દોષની પ્રાપ્તિ થાય
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy