SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૨ કરીને તે તે ક્ષેત્રોમાં નવકલ્પી વિહારથી વિચરે છે અને જેઓ આજ્ઞાને પરતંત્ર થયા વિના સ્થિરવાસ કરે છે, તેઓ મંગુ આચાર્યની જેમ વિરાધક છે, પરંતુ જેઓ સમિતિ-ગુપ્તિમાં ઉપયોગવાળા છે, રત્નત્રયમાં દૃઢ યત્નવાળા છે, તેવા સાધુ તેના અંગરૂપે એક ક્ષેત્રમાં રહેલા હોય તોપણ સંપૂર્ણ આરાધક છે, તે બતાવવા માટે ત્રણ ગાથા દ્વારા એક ક્ષેત્રમાં રહેલા સાધુ કઈ રીતે પુરાણા કર્મને નાશ કરે છે ? તેની સ્પષ્ટતા અન્ય અન્ય રીતે કરીને આજ્ઞા જ નિર્જરાનું કારણ છે, તેમ સ્પષ્ટ કરેલ છે અને આ જ ન્યાયને= પ્રતિનિયત કર્તવ્ય-અકર્તવ્યને નહિ, પરંતુ અંતરંગ સમિતિ-ગુપ્તિમાં દૃઢ યત્ન થાય તેવી આજ્ઞારૂપ ન્યાયને, બધા કર્તવ્યના સંગ્રહ દ્વારા નિગમન કરતાં કહે છે અર્થાત્ સાધુએ સર્વ કર્તવ્ય તે રીતે કરવાં જોઈએ, જે રીતે કષાયોની હાનિ થાય, રત્નત્રયીની વૃદ્ધિ થાય અને સમિતિ-ગુપ્તિમાં અતિશયતા થાય, તો જ તેનાથી પુરાણું કર્મ નાશ પામે, નહિ તો બાહ્ય આજ્ઞાપાલનમાત્રથી નિર્જરા થતી નથી. એ બતાવવા માટે કહે છે ગાથા: तम्हा सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे after | आयं वयं तुलिज्जा, लाहाकंखि व्व वाणियओ ।। ३९२ ।। ગાથાર્થઃ તે કારણથી પ્રવચનમાં સર્વ અનુજ્ઞા અને સર્વ નિષેધ નથી, લાભ મેળવવાની ઈચ્છાવાળો વાણિયો જેમ આવક-જાવકની તુલના કરે. II3II ટીકા ઃ यत एवं तस्मात् स्थितमेतत् सर्वप्रकारैरनुज्ञा यदुतेदं कर्त्तव्यमेवेति सर्वानुज्ञा, तथा सर्वनिषेधो यदुतेदं न कर्तव्यमेवेति प्रवचने सर्वज्ञागमे नास्ति, चशब्दस्येहावधारणार्थत्वेन सम्बन्धान्नास्त्येव, सर्वकर्त्तव्यानां द्रव्यक्षेत्रकालभावाद्यपेक्षया विधानान्निषेधाच्च द्रव्यादीनां च वैचित्र्येण क्वचिद् विधेयस्यापि निषेधावसरः स्यात्, निषिद्धस्य च विधानमापद्येत । तदुक्तम् उत्पद्येत हि सावस्था, देशकालामयान् प्रति । यस्यामकार्यं कार्यं સ્થાત્, कर्म कार्यं तु वर्जयेत् ।। अत आयं ज्ञानादिलाभं व्ययं तद्धानिं, तुलयेत् आकलयेत् क इवेत्याह- लाभाकाङ्क्षीव वाणिजको यथाऽसावायव्ययतुलनया बहुलाभे प्रवर्त्तते, तथालाभे प्रवर्त्तते इत्यर्थः, केवलं प्रवर्त्तमानेन रागद्वेषपरिहारेण सम्यगात्मा रञ्जनीयः, न शाठ्यात् दुष्टालम्बनं विधेयम् ।। ३९२ ।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy