SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૮-૮૯ સ્વીકારેલું, એથી અનશનથી અતિશયિત થયેલો પ્રવ્રજ્યાનો પરિણામ હોવાથી તેમના ચરિત્રને દુષ્કર અને રોમના હર્ષજનક કહેલ છે. I૮૮ાા. અવતરણિકા : ન વા ચિત્ર, યતઃઅવતરણિકા - અથવા આ ચિત્ર નથી=અવંતિસુકુમારે ધર્મ માટે પ્રાણત્યાગ કર્યો એ આશ્ચર્ય નથી, જે કારણથી શું ? એ ગાથામાં કહે છે – ગાથા : उच्छूढसरीरघरा, अन्नो जीवो सरीरमन्नं ति । धम्मस्स कारणे सुविहिया सरीरं पि छटुंति ।।८९।। ગાથાર્થ : દૂર કરાયાં છે શરીર અને ઘર જેમના વડે એવા સુવિહિતો જીવ અન્ય છે, શરીર અન્ય છે, એ પ્રકારની ભાવના વડે ધર્મના કારણે શરીરને પણ છોડે છે. ll૮૯II. ટીકા - 'उच्छूढसरीरघर'त्ति अवक्षिप्तदेहगेहाः, कथम् ? अन्यो जीवः शरीर-मन्यदिति भावनया धर्मस्य कारणाद् धर्मनिमित्तमाश्रित्य सुविहिताः साधवः शरीरमपि, आस्तां धनकनकादिकं, त्यजन्तीति ।।८९।। ટીકાર્ચ - છૂઢસરીર રત્તિ .. ચનન્તીતિ | ઉછૂઢશરીરઘર=દૂર ફેંકાયાં છે શરીર અને ઘર જેમના વડે એવા, કેવી રીતે છોડ્યાં છે ? એથી કહે છે – જીવ અન્ય છે, શરીર અન્ય છે, એ પ્રકારની ભાવનાથી દેહ અને ઘરને છોડ્યાં છે, એવા સુવિહિત સાધુઓ ધર્મના કારણમાં=ધર્મના નિમિતને આશ્રયીને, શરીરને પણ=ધન-કનક આદિ દૂર રહો, શરીરનો પણ ત્યાગ કરે છે. lucci ભાવાર્થ પૂર્વમાં કહ્યું કે અવંતિસુકુમારનું ચરિત્ર આશ્ચર્યકારી છે, હવે પરમાર્થથી આશ્ચર્યકારી નથી, તે સ્પષ્ટ કરતાં કહે છે – જે મહાત્મા આત્માને ભાવિત કરે છે – જીવ અન્ય છે અને શરીર અન્ય છે; કેમ કે આત્મા “જ્ઞ સ્વભાવવાળો છે, શરીર અજ્ઞ સ્વભાવવાળું છે, આ પ્રકારે ભાવન કરીને નિરાકુળ સ્વભાવવાળા આત્મામાં સ્થિર થયેલા પરિણામવાળા તે મહાત્મા આત્માના નિરાકુળ “જ્ઞ' સ્વભાવને પ્રગટ કરવા તે પ્રકારે લીન
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy