SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૬૫ "તમે અમારાં પાંચ વચન અંગીકાર કરો તો તમારા સર્વ દુઃખ દૂર થશે.” આ વખતે ગુપ્તપણે રહેલા સુરસુંદરકુમારે આ હકીકત સાંભળી પોતાના મનમાં વિચાર કર્યો કે, "આ કોઈક ઉલ્લંઠ મુનિ જણાય છે; કેમકે, જ્યારે મારી સ્ત્રીઓએ તેને પોતાનું દુઃખ મટાડવાનો ઉપાય પૂછયો ત્યારે તે તેણીઓને વચનમાં બાંધી લેવા ધારે છે, માટે એ ઉલ્લેઇને પાંચે અંગે પાંચ પાંચ દંડના પ્રહાર કરીશ. સ્ત્રીઓએ પૂછયું કે-તમો ક્યા પાંચ વચન અંગીકાર કરાવવા માંગો છો? મુનિએ કહ્યું - પહેલું, તમારે કોઈ પણ ત્રસ (હાલી ચાલી શકે એવા) જીવને યાવજીવ સુધી મારવો નહીં, એવું દષ્ટાંતપૂર્વક કહેવાથી તે પાંચે સ્ત્રીઓએ આ પહેલું વ્રત અંગીકાર કર્યું. આ જાણી સુરસુંદરકુમાર વિચાર કરવા લાગ્યો કે, ખરેખર આ કાંઈ ઉલ્લંઠ દેખાતો નથી. આ તો મારી સ્ત્રીઓને કાંઈક શિખામણ આપે છે. આથી તો મને પણ ફાયદો મળશે, કેમકે તેઓ રિસાવાથી કોઈપણ વખતે મને મારી શકશે નહીં. માટે એણે મને ઉપકાર કર્યો. તેના બદલામાં મેં જે તેને પાંચ દંડના પ્રહાર કરવા ધારેલા છે તેમાંથી એક પાછો એટલે ચાર મારીશ. બીજું મુનિ બોલ્યા કે, "તમારે કોઈપણ વખતે જૂઠું બોલવું નહીં; એવું પચ્ચખાણ લો. તેણીઓએ તે કબૂલ કીધું (આ વખતે શેઠે પણ પહેલાંની યુક્તિપૂર્વક એક એક દંડપ્રહાર ઓછો કરી ત્રણ મારવા ધાર્યું.) ત્રીજો મુનિએ કહ્યું કે તમારે ચોરી-અદત્ત લેવું નહીં. આનું પણ પચ્ચક્ખાણ તે સ્ત્રીઓએ કર્યું. (ત્યારે વળી સુરસુંદરકુમારે એક પ્રહાર ઓછો મારવાનું ધારી બે બે બાકી રાખ્યા). ચોથું, શીયળ પાળ વા વિષે મુનિએ કીધું; એ પણ તેણીઓએ સ્વીકાર્યું. (આ સાંભળી શેઠે એક એક પ્રહાર ઓછો કરી ફકત એક પ્રહાર કરવા નક્કી કર્યું.) પાંચમું પરિગ્રહનું (દ્રવ્યાદિક વિગેરે દરેક વસ્તુ પ્રમાણથી વધારે ન રાખવાનું) પચ્ચકખાણ કરવાનું મુનિએ જણાવ્યું, તે તેણીઓએ અંગીકાર કર્યું. (એક એક કરવા ધારેલો બાકી રહેલો પ્રહાર પણ સુરસુંદર શેઠે આ વખતે માંડી વાળ્યો.) એમ પાંચે સ્ત્રીઓને મુનિએ પાંચે વ્રત ઉચ્ચરાવ્યાં, જેથી તેઓના ભર્યારે પાંચે દંડ પ્રહાર બંધ કર્યા અને વળી વિચારવા લાગ્યો કે, હા! હા! હું મહાપાપી થયો; કેમકે જે મારા ઉપકારી તેના જ ઉપર મેં આવી વાત ચિંતવી. એમ પશ્ચાત્તાપ કરતો તત્કાળ તે મુનિ પાસે આવી નમસ્કાર કરીને પોતાનો અપરાધ ખમાવી પાંચે સ્ત્રીઓએ પાંચે વ્રત અંગીકાર કર્યા તેથી તેણે પણ વ્રત લીધાં. એ પ્રમાણે જે વ્રત અંગીકાર કરે તે "વ્રતશ્રાવક" સમજવા.. ૩. ઉત્તરગુણ શ્રાવક તે, વ્રતશ્રાવક અધિકારમાં બતાવ્યા મુજબનાં પાંચ અણુવ્રત, છઠું દિફપરિમાણવ્રત, સાતમું ભોગોપભોગપરિમાણવ્રત, આઠમું અનર્થદંડ પરિહારવ્રત; (એ ત્રણ ગુણવ્રત કહેવાય છે) નવમું સામાયિકવ્રત, દશમું દેશાવગાસિકવ્રત, અગિયારમું પૌષધોપવાસવ્રત, બારમું અતિથિસંવિભાગવ્રત, (એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે) એમ બારે વ્રત એટલે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત સમ્યકત્વ સહિત ધારણ કરે તે સુદર્શન શેઠની જેમ "ઉત્તરગુણશ્રાવક” કહેવાય છે. અથવા ઉપર કહેલાં બાર વ્રત મધ્યેનાં સમ્યક્ત્વ સહિત એક, બે, અગર તેથી વધારે લેવાં હોય તેટલાં કે તમામ બાર વ્રત ધારણ કરે તેને "વ્રતશ્રાવક” સમજવા અને ઉત્તરગુણશ્રાવક' તો નીચે લખ્યા મુજબ સમજવા.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy