SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય : ખામણાં કરે અને ચાર થોભવંદના કરે. ૩૦. પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વંદનાદિક કરવું. તેમાં ભવનદેવતાનો કાઉસ્સગ્ન કરે અને અજિતશાંતિ કહે. ૩૧. ચઉમાસી અને સંવછરી પ્રતિક્રમણનો વિધિ એ રીતે જ ચીમાસી પ્રતિક્રમણનો તથા સંવત્સરી પ્રતિક્રમણનો વિધિ જાણવો. તેમાં એટલો વિશેષ કે - પફિખ પ્રતિક્રમણ હોય તો પફિખ, ચોમાસી હોય તો ચોમાસી અને સંવત્સરી હોય તો સંવત્સરી એવાં જુદાં જુદાં નામ બોલવાં. ૩૨. તેમજ પફિખના કાઉસ્સગ્નમાં બાર, ચોમાસીના કાઉસ્સગ્નમાં વીસ અને સંવત્સરીના કાઉસ્સગ્નમાં નવકાર સહિત ચાળીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ ચિંતવવો. તથા સંબુદ્ધાબામણાં પફિખ, ચોમાસી અને સંવત્સરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવાં. ૩૩. આ રીતે ચિરંતનાચાર્યોક્ત પ્રતિક્રમણ ગાથા કહી.. - હરિભદ્રસૂતિ આવશ્યક વૃત્તિમાં વંદનકનિયુક્તિની અંદર આવેલી વત્તારિડિક્ષમળે એ ગાથાની વ્યાખ્યાને અવસરે સંબુદ્ધા ખામણાના વિષયમાં કહ્યું છે કે – દેવસી પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ, પફિખ તથા ચોમાસામાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પાકિસૂત્ર વૃત્તિ અને પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં આવેલી વૃદ્ધસામાચારીમાં પણ એ પ્રમાણે કહ્યું છે. હવે પ્રતિક્રમણના અનુક્રમનો વિચાર પૂજ્ય શ્રી જયચંદ્રસૂરિકૃત ગ્રંથમાંથી જાણવો. પ્રતિક્રમણ વિધિ ઉપર કહી તે પ્રમાણે છે. ગુરુની વિશ્રામણા તેમજ આશાતના ટાળવા વગેરે વિધિથી મુનિરાજની અથવા ગુણવંત તથા અતિશય ધર્મિષ્ઠ શ્રાવક આદિની સેવા કરે. વિશ્રામણા એક ઉપલક્ષણ છે, માટે સુખસંયમયાત્રાની પૃચ્છા વગેરે પણ કરે. પૂર્વભવે પાંચસો સાધુઓની સેવા કરવાથી ચક્રવર્તી કરતાં અધિક બળવાન થયેલા બાહુબલિ વગેરેના દાંતથી સેવાનું ફળ વિચારવું. ઉત્સર્ગ માર્ગે જોતાં સાધુઓએ કોઈ પાસે પણ સેવા ન કરાવવી, કારણ કે, "સંવાદળવંતપોસT ” એ આગમવચનમાં નિષેધ કર્યો છે. અપવાદ-સાધુઓએ સેવા કરાવવી હોય તો સાધુ પાસે જ કરાવવી તથા કારણ પડે સાધુને અભાવે લાયક શ્રાવક પાસે કરાવવી. જો કે મોટા મુનિરાજ સેવા કરાવતા નથી, તથાપિ મનના પરિણામ શુદ્ધ રાખી સેવાને બદલે મુનિરાજને ખમાસમણ દેવાથી પણ નિર્જરાનો લાભ થાય છે અને વિનય પણ સચવાય છે. સ્વાધ્યાય કરવો તે પછી પૂર્વે કહેલા દિનકૃત્ય આદિ શ્રાવકનો વિધિ દેખાડનારા ગ્રંથોની અથવા ઉપદેશમાળા, કર્મગ્રંથ વગેરે ગ્રંથોને ફેરવવારૂપ, શીલાંગ વગેરે રથની ગાથા ગણવારૂપ અથવા નવકારની વલયાકાર આવૃત્તિ વગેરે સ્વાધ્યાય પોતાની બુદ્ધિ પ્રમાણે મનની એકાગ્રતાને માટે કરવો.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy