SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિન કૃત્યપ્રકાશ ૩૦૫ પહોંચ્યો. સમરસિંહ રાજા પણ રત્નસારની સારી ઋદ્ધિનો વિસ્તાર જોઈ ઘણા શેઠોની સાથે સામો આવ્યો. પછી રાજાએ તથા વસુસાર આદિ મોટા શેઠીયાઓએ ઘણી ઋદ્ધિની સાથે કુમારનો નગરીમાં પ્રવેશ કરાવ્યો. પૂર્વ પુણ્યની પટુતા કેવી અદ્ભુત છે! પરસ્પર આદર-સત્કાર આદિ ઉચિત કૃત્યો થઈ રહ્યા પછી ઉચિત કૃત્ય કરવામાં ચતુર એવા પોપટે રત્નસાર કુમારનો સમગ્ર વૃત્તાંત રાજા વગેરે લોકોની આગળ કહ્યો. કુમારનું આશ્ચર્યકારી સત્ત્વ સાંભળી રાજા વગેરે સર્વ લોકો ચકિત થયા, અને કુમારનાં વખાણ કરવા લાગ્યા. એક વખતે વિદ્યાનંદ નામે ગુરુરાજ ઉદ્યાનમાં સમવસર્યા. રત્નસાર કુમાર, રાજા વગેરે લોકો તેમને વંદના કરવા માટે હર્ષથી ગયા. આચાર્ય મહારાજે ઉચિત દેશના આપી. પછી રાજાએ આશ્ચર્ય પામી રત્નસારકુમારનો પૂર્વભવ ગુરુ મહારાજને પૂછયો. ત્યારે ચાર જ્ઞાનના ધણી એવા વિદ્યાનંદ આચાર્ય નીચે પ્રમાણે કહેવા લાગ્યા : રત્નસારનો પૂર્વભવી | "હે રાજા ! રાજપુર નગરમાં ધનથી સંપૂર્ણ અને સુંદર એવો શ્રીસાર નામે રાજપુત્ર હતો. એક શ્રેષ્ઠિપુત્ર, બીજો મંત્રીપુત્ર, અને ત્રીજો ક્ષત્રિયપુત્ર, એવા ત્રણ રાજપુત્રના દોસ્ત હતા. ધર્મ, અર્થ અને કામથી જેમ ઉત્સાહ શોભે છે, તેમ તે ત્રણ મિત્રોથી રાજકુમાર મૂર્તિમંત ઉત્સાહ રાખતો શોભતો હતો. ચારમાં ક્ષત્રિયપુત્ર જે હતો તે પોતાના ત્રણ મિત્રોનું કલાકૌશલ્ય જોઈ જડમૂઢ એવા પોતાની નિંદા કરતો હતો. અને જ્ઞાનને માન આપતો હતો. એક વખતે રાણીના મહેલમાં કોઈ ચોરે ખાતર પાડયું. સુભટોએ તે ચોરને ચોરીના માલ સહિત પકડયો. ક્રોધ પામેલા રાજાએ ચોરને શૂળી ઉપર ચઢાવવાનો આદેશ કર્યો. શૂળી ઉપર ચઢાવનારા લોકો તે ચોરને વધ કરવા લઈ જવા લાગ્યા. એટલામાં દયાળુ શ્રી સારકુમારે હરિણની માફક ભયભીત આંખથી આમતેમ જોતાં તે ચોરને જોયો. ' | "મારી માતાનું દ્રવ્ય હરણ કરનારો એ ચોર છે, માટે હું પોતે એનો વધ કરીશ.” એમ કહી તે વધ કરનાર લોકોની પાસેથી ચોરને પોતાના તાબામાં લઈને કુમાર નગર બહાર ગયો. દિલના ઉદાર અને દયાળુ એવા શ્રીસારુકમારે "ફરીથી ચોરી કરીશ નહીં.” એમ કહી કોઈ ન જાણે એવી રીતે ચોરને છોડી દિધો. સત્પરુષોની અપરાધી પુરુષને વિષે પણ અદ્ભુત દયા હોય છે. સર્વે મનુષ્યોને બધા ઠેકાણે પાંચ મિત્ર હોય છે. અને પાંચ શત્રુ પણ હોય છે. તેમ કુમારને પણ હોવાથી કોઈએ ચોરને છોડાવવાની વાત રાજાને કાને નાંખી. "આજ્ઞાભંગ કરવો એ રાજાનો શસ્ત્ર વિનાનો વધ કહેવાય છે.” એમ હોવાથી રોષ પામેલા રાજાએ શ્રીસારનો ઘણો તિરસ્કાર કર્યો. તેથી ઘણો દુઃખી થયેલો અને રોષ પામેલો શ્રીસાર ઝટ નગરથી બહાર નીકળી ગયો. માની પુરુષો પોતાની માનહાનિને મરણ કરતાં વધારે અનષ્ટિ ગણે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જેમ ભવ્ય જીવને આવી મળે, તેમ હંમેશાં મિત્રતા રાખનારા ત્રણે મિત્રો શ્રીસારને આવી મળ્યા કેમકે-સંદેશો મોકલવો પડે ત્યારે દૂતની, સંકટ આવે બાંધવોની, માથે આપદા પડે ત્યારે મિત્રોની અને ધન જતું રહે ત્યારે સ્ત્રીની પરીક્ષા કરાય છે. માર્ગમાં જંગલ આવ્યું ત્યારે તે ચારે જણા એક સાથે સાથે ચાલતા હતા,
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy