SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૨૪૩ સાચા દોષો પણ ન બોલવા અંગે ત્રણ પુતળીનું દષ્ટાંત હવે કોઈ રાજાની આગળ કોઈ પરદેશીએ લાવેલી ત્રણ પુતળીઓની પંડિતોએ પરીક્ષા કરી. તે એમ કે :- એકના કાનમાં દોરો નાખ્યો, તે તેના મુખમાંથી બહાર નીકળ્યો. તે સાંભળ્યું હોય તેટલું મોઢે બકનારી પુતળીની કિંમત ફુટી કોડીની કરી. બીજી પુતળીના કાનમાં નાંખેલો દોરો તેના બીજા કાનમાંથી બહાર નીકળ્યો, તે એક કાને સાંભળી બીજે કાને બહાર નાંખી દેનારીની કિંમત લાખ સોનૈયા કરી. ત્રીજીના કાનમાં નાંખેલો દોરો તેના ગળામાં ઉતર્યો. તે સાંભળેલી વાત મનમાં રાખનારીની કિંમત પંડિતો કરી શક્યા નહીં. એ સાચા દોષો પણ ન કહેવા ઉપર દાંત છે. લોકવિરૂદ્ધ આચરવું નહીં સરળ લોકોની મશ્કરી કરવી, ગુણવાન લોકોની અદેખાઈ કરવી, કૃતઘ્ન થવું. ઘણા લોકોની સાથે વિરોધ રાખનારની સોબત કરવી, લોકમાં પૂજાયેલાનું અપમાન કરવું. સદાચારી લોકો સંકટમાં આવે રાજી થવું, આપણામાં શક્તિ છતાં આફતમાં સપડાયેલા સારા માણસને મદદ ન કરવી, દેશ વગેરેની ઉચિત રીતભાત છોડવી, ધનના પ્રમાણથી ઘણો ઉજળો અથવા ઘણો મલિન વેષ વગેરે કરવો. એ સર્વ લોકવિરૂદ્ધ કહેવાય છે. એથી આ લોકમાં અપયશ વગેરે થાય છે. વાચકશિરોમણિ શ્રી ઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે કે, સર્વ ધર્મી લોકોનો આધાર લોક છે, માટે જે વાત લોકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધ હોય તે સર્વથા છોડવી. લોકવિરૂદ્ધ તથા ધર્મવિરૂદ્ધ વાત છોડવામાં લોકની આપણા ઉપર પ્રીતિ ઉપજે છે, સ્વધર્મ સચવાય અને સુખે નિર્વાહ થાય વગેરે ગુણ રહેલા છે. કહ્યું છે કે-લોકવિરૂદ્ધ છોડનારા માણસ સર્વ લોકને પ્રિય થાય છે અને લોકપ્રિય થવું એ સમકિત વૃક્ષનું મૂળ છે.. ધર્મવિરૂદ્ધ હવે ધર્મવિરૂદ્ધ કહીએ છીએ. મિથ્યાત્વ કૃત્ય કરવું, મનમાં દયા ન રાખતાં બળદ વગેરેને મારવા, બાંધવા વગેરે. જા તથા માંકડ વગેરે તડકે નાખવા, માથાના વાળ મોટી કાંસકીથી સમારવા, લખો વગેરે ફોડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને બાકીના કાળમાં બે વાર મજૂબત મોટા જાડા ગળણાથી સંખારો વગેરે સાચવવાની યુક્તિ, પાણી ગાળવામાં તથા ધાન્ય, છાણાં, શાક, ખાવાનાં પાન ફળ વગેરે તપાસવામાં સમ્યફ પ્રકારે ઉપયોગ ન રાખવો. આખી સોપારી, ખારેક, વાલોળ, ફળી, વગેરે મોઢામાં એમની એમ નાંખવી નાળવાનું અથવા ધારાનું જળ વગેરે પીવું, ચાલતાં, બેસતાં, સુતાં, હાતાં, કાંઈ વસ્તુ મૂકતાં અથવા લેતાં. રાંધતાં, ખાંડતાં, દળતાં અને મળમૂત્ર બળખો, કોગળો વગેરેનું પાણી તથા તાંબુલ વગેરે નાંખતાં બરાબર યતના ન રાખવી. ધર્મમાં આદર ન રાખવો. દેવ, ગુરુ તથા સાધર્મિ એમની સાથે દ્વેષ કરવો, દેવદ્રવ્ય વગેરેની તથા સારા લોકોની મશ્કરી કરવી, કષાયનો ઉદય બહુ રાખવો, બહુ દોષથી ભરેલું ખરીદ વેચાણ કરવું, ખરકમ તથા પાપમય અધિકાર આદિ કાર્ય વિષે પ્રવર્તવું. એ સર્વ ધર્મવિરૂદ્ધ કહેવાય છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy