SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ જીભના કટકે કટકા કર્યા, અને દેશ બહાર કાઢી મૂકી. તેથી દુઃખી થયેલી રોહિણીએ અનેક ભવોમાં જિદ્વાછેદ વગેરે દુઃખો સહ્યાં. પરનિંદા અને સ્વરૂતિ ન કરવી લોકની તથા વિશેષે કરીને ગુણીજનોની નિંદા ન કરવી. કેમકે લોકની નિંદા કરવી અને પોતાનાં વખાણ કરવાં એ બન્ને લોકવિરૂદ્ધ કહેવાય છે. કેમકે – ખરા ખોટા પારકા દોષ બોલવામાં શું લાભ છે? તેથી ધનનો અથવા યશનો લાભ થતો નથી, એટલું નહીં પણ જેના દોષ કાઢીએ, તે એક પોતાનો નવો શત્રુ ઉત્પન્ન કર્યો એમ થાય છે. ૧. પોતાની સ્તુતિ, ૨. પારકી નિંદા, ૩. વશ ન રાખેલી જીભ, ૪. સારાં વસ્ત્ર અને પ. કપાય. આ પાંચ વાનાં સંયમ પાળવાને અર્થે સારો ઉદ્યમ કરનારા એવા મુનિરાજને 'પણ ખાલી કરે છે. જો પુરુષમાં ખરેખરા ઘણા ગુણ હોય, તો તે ગુણો વગર કહ્યું પોતાનો ઉત્કર્ષ કરશે જ, અને જો તે (ગુણો) ન હોય તો ફોગટ પોતાનાં બહુ વખાણ કરનારા સારા માણસને તેના મિત્રો હસે છે, બાંધવજનો નિંદા કરે છે, મોટા લોકો તેને કોરે મૂકે છે અને તેનાં મા-બાપ પણ તેને બહુ માનતા નથી. બીજાનો પરાભવ અથવા નિંદા કરવાથી તથા પોતાની મોટાઈ પોતે પ્રકટ કરવાથી ભવે ભવે નીચગોત્રકર્મ બંધાય છે. તે કર્મ કરોડો ભવ થયે પણ છૂટવું મુશ્કેલ છે. પારકી નિંદા કરવી એ મહાપાપ છે. કારણ કે, નિંદા કરવાથી પારકાં પાપો વગર કરે માત્ર નિંદા કરનારને ખાડામાં ઉતારે છે, એક નિંદક વૃદ્ધ સ્ત્રીનું દષ્ટાંત નીચે પ્રમાણે છે : પરનિંદા કરનાર વૃદ્ધ ડોશીનું દષ્ટાંત સુગ્રામ નામના ગામમાં સુંદર નામનો એક શ્રેષ્ઠી હતો તે મોટો ધર્મી અને મુસાફર વગેરે લોકોને ભોજન, વસ્ત્ર, રહેવાનું સ્થાનક વગેરે આપી તેમના ઉપર મોટો ઉપકાર કરતો હતો. તેની પાડોશમાં એક વૃદ્ધ બ્રાહ્મણી રહેતી હતી. તે શેઠની હંમેશાં નિંદા કર્યા કરે અને કહે કે, "મુસાફર લોકો પરદેશમાં મરણ પામે છે તેમની થાપણ વગેરે મળવાની લાલચથી એ શ્રેષ્ઠી પોતાની સચ્ચાઈ બતાવે છે વગેરે.” એક વખતે ભૂખ તરસથી પીડાયેલો એક કાર્પટિક આવ્યો. તેના ઘરમાં કંઈ ન હોવાથી ભરવાડણ પાસે છાશ મંગાવીને પાઈ અને તેથી તે મરી ગયો. કારણ કે ભરવાડણે માથે રાખેલા છાશના વાસણમાં ઉપરથી જતી સમળીએ મોઢામાં પકડેલા સર્પના મુખમાંથી ઝેર પડ્યું હતું. કાર્પટિક મરણ પામ્યો, તેથી ઘણી ખુશી થયેલી બ્રાહ્મણીએ કહ્યું કે, "જુઓ, આ કેવું ધર્મિપણું !” તે સમયે આકાશમાં ઉભી રહેલી હત્યાએ વિચાર કર્યો કે, "દાતાર (શ્રેષ્ઠી) નિરપરાધી છે. સર્પ અજ્ઞાની તથા સમળીના મોઢામાં સપડાયેલો હોવાથી પરવશ છે, સમળીની જાત જ સર્પને ભક્ષણ કરનારી છે અને ભરવાડણ પણ એ વાતમાં અજાણ છે. માટે હવે હું કોને વળગું !” એમ વિચારી છેવટે તે હત્યા વૃદ્ધ બ્રાહ્મણીને વળગી, તેથી તે કાળીકૂબડી અને કોઢ રોગવાળી થઈ. આ રીતે પારકા ખોટા દોષ બોલવા ઉપર લોકપ્રસિદ્ધ દષ્ટાંત છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy