SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ ધરેલા નૈવેદ્ય આદિ વસ્તુ વેચીને નીપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંબંધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી. કારણ કે, તેમ કરવાથી ઉપર કહેલા દોષ આવે છે. તેમજ જિનમંદિરે આવેલા નૈવેદ્ય, ચોખા, સોપારી આદિ વસ્તુની પોતાની વસ્તુની માફક સંભાળી લેવી. સારું મૂલ્ય ઉત્પન્ન થાય એવી રીતે વેચવી. પણ જેમ તેમ રખડતી રાખવી નહીં. કારણ કે, તેમ કરવાથી દેવદ્રવ્યનો વિનાશ આદિ કર્યાનો દોષ આવે છે. સર્વ પ્રયત્નથી રક્ષણ આદિ ફીકર કરતાં છતાં પણ જો કદાચિત ચોર, અગ્નિ આદિના ઉપદ્રવથી દેવદ્રવ્યાદિકનો નાશ થઈ જાય તો સારસંભાળ કરનારને માથે કાંઈ દોષ નથી. કારણ કે, અવશ્ય થનારી વાત-ભવિષ્ય આગળ કોઈનો ઉપાય નથી. પારકું દ્રવ્ય ન વાપરવું. યાત્રા-તીર્થની અથવા સંઘની પૂજા સાધર્મિક વાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના, પુસ્તક લખાવવું. વાંચન આદિ ધર્મકૃત્યોમાં જો બીજા કોઈ ગૃહસ્થના દ્રવ્યની મદદ લેવાય તો, તે ચાર-પાંચ પુરુષોને સાક્ષી રાખીને લેવી અને તે દ્રવ્ય ખરચવાને સમયે ગુરુ, સંઘ આદિ લોકોની આગળ તે દ્રવ્યનું ખરું સ્વરૂપ યથાસ્થિત કહી દેવું. એમ ન કરે તો દોષ લાગે. તીર્થ આદિ સ્થળને વિષે દેવપૂજા, સ્નાત્ર, ધ્વજારોપણ પહેરામણી આદિ અવશ્ય કરવા યોગ્ય ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી જ કરવાં અને તેમાં બીજા કોઈનું દ્રવ્ય ભેગું ન લેવું. ઉપર કહેલાં ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કોઈએ ધર્મકૃત્યોમાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તો તે મહાપૂજા, ભોગ, અંગપૂજા આદિ કૃત્યોમાં સર્વની સમક્ષ જુદું વાપરવું. જ્યારે ઘણા ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, સંઘ પૂજા આદિ નૃત્ય કરે ત્યારે જેનો જેટલો ભાગ, હોય તેનો તેટલો ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દેવો. એમ ન કરે તો પુણ્યનો નાશ તથા ચોરી આદિનો દોષ માથે આવે. પુણ્યાર્થે કાઢેલું દ્રવ્ય કેમ વાપરવું? તેમજ માતા-પિતા આદિ લોકોની આયુષ્યની છેલ્લી ઘડી આવે, ત્યારે જો તેના પુણ્યને અર્થે દ્રવ્ય. ખરચવાનું હોય તો, મરનાર માણસ શુદ્ધિમાં છતાં ગુરુ તથા સાધર્મિક વગેરે સર્વ લોકોની સમક્ષ મરનારે કહેવું કે, "તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખરચીશ. તેની તમે અનુમોદના કરો.” એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં સર્વલોકો જાણે એવી રીતે ખરચવું. પોતાના નામથી તે દ્રવ્યનો વ્યય કરે તો પુણ્યને સ્થાનકે પણ ચોરી આદિ કર્યાનો દોષ આવે. પુણ્ય સ્થાનકે ચોરી વગેરે કરવાથી મુનિરાજને પણ હણતા આવે છે. કહ્યું છે કે-જે માણસ (સાધુ) તપ, વ્રત, રૂપ, આચાર અને ભાવ, એની ચોરી કરે તે કિલ્બિપી દેવતાનું આયુષ્ય બાંધે. સાધારણ દ્રવ્ય વાપરવામાં વિવેક - મુખ્યવૃત્તિએ વિવેકી પુરુષે ધર્મખાતે કાઢેલું દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી ધર્મસ્થાન બરાબર જોઈને તે ઠેકાણે તે દ્રવ્યનો વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેને સહાય આપવામાં
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy