SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૭૯ છે કે સાગર! તું રત્નાકર કહેવાય છે, અને તેથી તું રત્નથી ભરેલો છે, છતાં મારાં હાથમાં દેડકો આવ્યો ! એ તારો દોષ નથી પણ મહાસં પૂર્વકર્મનો દોષ છે, પછી શેઠે એ પુત્રીનો ઉત્સવ થયો નથી માટે સ્ફોટા આડંબરથી તેનો લગ્ન મહોત્સવ કરવા માંડ્યો. લગ્ન દિવસ નજીક આવ્યો, ત્યારે તે પુત્રીની માતા અકસ્માત્ મરણ પામી ત્યારે બિલકુલ ઉત્સવ ન થતાં વરવહુનો હસ્તમેળાપ માત્ર રૂઢી પ્રમાણે કર્યો. મોટા ધનવાન અને ઉદાર શેઠને ઘેર જન્મી હતી, અને સાસરા આદિ સર્વે લોકને માનીતી હતી, તો પણ પૂર્વની જેમ નવા નવા ભય, શોક, માદગી આદિ કારણ ઉત્પન્ન થવાથી તે પુત્રીને પોતાના મનગમતા વિષયસુખ, તથા ઉત્સવ ભોગવવાનો યોગ પ્રાયે ન જ મળ્યો. તેથી તે મનમાં ઘણી ઉદ્વિગ્ન થઈ, અને સંવેગ પામી. એક દિવસે તેણે કેવળી મહારાજને એ વાતનું કારણ પૂછવાથી તેમણે કહ્યું કે, "પૂર્વભવે તે થોડો નકરો આપીને મંદિર આદિની ઘણી વસ્તુ વાપરી અને સ્ફોટો આડંબર દેખાડયો. તે જે દુષ્કર્મ ઉપામ્યું તેનું આ ફળ છે.” કેવળીનાં એવાં વચન સાંભળી તે પ્રથમ આલોયણ અને પછી દીક્ષા લઈ અનુક્રમે નિર્વાણ પામી. એ રીતે લક્ષ્મીવતીની કથા છે. માટે ઉજમણા આદિમાં મૂકવા પાટલીઓ, નાળિયેર, લાડુ આદિ વસ્તુ જેનું મૂલ્ય હોય તથા તે તૈયાર કરતાં, લાવતાં જે દ્રવ્ય બેઠું હોય તેથી પણ કાંઈક વધારે રકમ આપવી, એમ કરવાથી શુદ્ધ નકરો કહેવાય છે. કોઈએ પોતાના નામથી ઉજમણા વગેરે માંડયું હોય, પરંતુ અધિક શક્તિ આદિ ન હોવાથી માંડેલા ઉજમણાની રીત બરાબર સાચવવાને અર્થે કોઈ બીજો માણસ કાંઈ મૂકે, તો તેથી કોઈ દોષની પ્રાપ્તિ થતી નથી. ઘરદેરાસરમાં ચઢાવેલ અક્ષતાદિની વ્યવસ્થા પોતાના ઘરદેરાસરોમાં ભગવાન આગળ મૂકેલા ચોખા, સોપારી, નૈવેદ્ય આદિ વસ્તુ વેચવાથી નિપજેલી રકમમાંથી પુષ્પ, ભોગ(કેસર, ચંદન) વસ્તુ પોતાના ઘરદેરાસરમાં ન વાપરવી; અને બીજા જિનમંદિરમાં પણ પોતે ભગવાન ઉપર ન ચઢાવવી. પરંતુ ખરી વાત કહીને તે પૂજક લોકોના હાથથી ચઢાવે. જિનમંદિરે પૂજકનો યોગ ન હોય તો સર્વલોકને તે વસ્તુનું સ્વરૂપ પ્રકટ કહીને પોતે જ તે વસ્તુ ભગવાન ઉપર ચઢાવે. એમ ન કરે તો, ગાંઠનું ન ખરચતાં ફોગટ લોકો પાસેથી પોતાની પ્રશંસા કરાવ્યાનો દોષ માથે આવે છે. ઘરદેરાસરની નૈવેદ્ય આદિ વસ્તુ માળીને આપવી, પણ તે તેના માસિક પગારની રકમમાંથી ગણવી. જો પ્રથમથી માસિક પગારને બદલે નૈવેદ્ય આદિ આપવાનો ઠરાવ કર્યો હોય તો કાંઈ દોષ નથી. મુખ્ય માર્ગ જોતાં માળીને માસિક પગાર જુદો જ આપવો. ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચોખા, નૈવેદ્ય આદિ વસ્તુ હોટા જિનમંદિરે મૂકવી. નહીં તો "ઘર દેરાસરની વસ્તુથી ઘર-દેરાસરની પૂજા કરી, પણ ગાંઠના દ્રવ્યથી ન કરી.” એમ થાય અને અનાદર, અવજ્ઞા આદિ દોષો પણ લાગે, એમ થવું યોગ્ય નથી. પોતાના શરીર, કુટુંબ વગેરેને અર્થે ગૃહસ્થ માણસ ગમે તેટલો દ્રવ્ય વ્યય કરે છે. તેમ જિનમંદિરે જિનપૂજા પણ શક્તિ પ્રમાણે પોતાના દ્રવ્યથી જ કરવી. પણ પોતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy