SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૦૭ છતાં, સમ્યક્ત્વશુદ્ધિ આદિ ગુણો પ્રાપ્ત થતા હોવાથી શુભ છે. પૂજા કરવામાં અપંકાયાદિનો વધ થાય છે એટલા જ માટે પૂજા ન કરવી. એવી શંકા રાખનારાઓને ઉત્તર આંપતાં ગુરુ કહે છે કે, "પૂજા એ સમકિતની શુદ્ધિ કરનારી છે, માટે "પૂજા" એ ભાવનયથી દોષ રહિત જ સમજવી." ઉપર લખ્યા પ્રમાણે દેવપૂજા માટે ગૃહસ્થને દ્રવ્યસ્નાન કરવાની આજ્ઞા છે, તેથી "દ્રવ્યસ્નાન પાપને માટે છે.” એવું બોલવાવાળા લોકોનો મત અસત્ય છે. તીર્થ ઉપર સ્નાન કર્યું હોય તો ફકત દેહની કાંઈક શુદ્ધિ થાય છે, પરંતુ આત્માની તો એક અંશમાત્ર પણ શુદ્ધિ થતી નથી. જે માટે સ્કંદપુરાણના કાશીખંડમાં છઠ્ઠી અધ્યાયમાં કહેલું છે કે : હજારો ભાર માટીથી, પાણીના ભરેલા સેંકડો ઘડાથી, કે સેકડો તીર્થના સ્નાન કરવાથી પણ દુરાચારી પુરુષો શુદ્ધ થતા નથી. જળજંતુઓ(મચ્છાદિક) જળમાં જ ઉત્પન્ન થાય છે અને તેમાં જ પાછા મરણ પામે છે, પણ તેઓનો, મનનો મેલ દૂર થયો ન હોવાથી સ્વર્ગમાં જતા નથી. ગંગાના સ્નાન વિના પણ શમ, દમ, સંતોષાદિકથી મન નિર્મળ થાય છે, સત્ય બોલવાથી શુદ્ધ થાય છે, બ્રહ્મચર્યાદિકથી શરીર શુદ્ધ થાય છે. રાગાદિકથી મન મલિન થાય છે, અસત્ય બોલવાથી મુખ મલિન થાય છે અને જીવહિંસાદિકથી કાયા મલિન થાય છે, તો તેથી ગંગા પણ દૂર જ રહે છે. ગંગા પણ એમ જ કહે છે કે – પરસ્ત્રીથી, પરદ્રવ્યથી અને પરદ્રોહથી દૂર રહેનારા પુરુષો મારી પાસે આવીને મને પાવન કરશે. ગંગા કોને શુદ્ધ કરે છે તેનું ઉદાહરણ કોઈક કુળપુત્ર ગંગા પ્રમુખ તીર્થ કરવા જવા લાગ્યો ત્યારે તેની માતાએ તેને કહ્યું કે - હે પુત્ર! આ મારું તુંબ (તુંબડું) તું સાથે લઈ જા અને જ્યાં જ્યાં તું સ્નાન કરે, ત્યાં ત્યાં તેને પણ નવરાવજે. કુળપુત્રે માતાનું કહેવું માન્ય કરી, જે જે તીર્થે ગયો, તે તે તીર્થે તુંબડાને નવરાવ્યું. છેવટ ગંગા પ્રમુખ તીર્થની યાત્રા કરી, પોતાને ઘેર આવ્યો અને માતાનું તુંબ તેને પાછું સમર્પણ કર્યું. ત્યારે તેણીએ તે જ તુંબડાનું શાક કરીને પુત્રને જ પીરસ્યું. મુખમાં નાંખતાં તે તરત જ બોલ્યો, અરે ! આટલું બધું કડવું શાક કયાંથી કાઢયું? માતાએકહ્યું કે – શું હજી એની કડવાશ ગઈ નહીં ? તે આ તુંબડાને ખરેખર સ્નાન કરાવ્યું જ નહીં હોય. પુત્ર બોલ્યો કે નહીં, નહીં, મેં તો એને બધા તીર્થ ઉપર મારી જેમ જ નવરાવ્યું હતું. માતા બોલી કે-જો એટલા બધા તીર્થ ઉપર એને સ્નાન કરાવવા છતાં એની કડવાશ ગઈ નહીં, ત્યારે તો ખરેખર તારું પાપ પણ કેવી રીતે ગયું? પાપ તો ખરેખર ધર્મક્રિયા અને જપ-તપ વડે જ જાય છે. જો એમ ન હોય તો આ તુંબડાનું કડવાપણું કેમ ગયું નહીં ? ત્યારે તે પણ પ્રતિબોધ પામ્યો અને જપ-તપ કરવા શ્રદ્ધાવંત થયો. સ્નાન કરવામાં અસંખ્ય જીવમય જળની અને શેવાળ પ્રમુખ જો હોય તો અનંત જંતુની વિરાધના અને અણગળ જળમાં રહેલા પોરા પ્રમુખ ત્રસ-જીવની વિરાધનાનો સંભવ હોવાથી સ્નાન કરાવમાં દોષ પ્રખ્યાત જ છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy