SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ નરકાધિકાર. ] આવલિકાપ્રવિષ્ટ નરકાવાસાની સંખ્યા. ૧૫૭ છઠ્ઠીમાં પાંચે ઊણા એક લાખ ૯૯૯૯૫, સાતમીમાં પાંચ સર્વ અધાવતી નરકાવાસા તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં કાળ નામે, પશ્ચિમમાં મહાકાળ નામે, દક્ષિણમાં રારૂક નામે, ઉત્તરમાં મહારેક નામે અને મધ્યમાં અપ્રતિષ્ઠાન નામે. એ પ્રમાણે સાતે નરકમાં મળીને કુલ ૮૪ લાખ નરકાવાસા સમજવા. ૨૫મ હવે આ નરકાવાસામાં કેટલા આવલિકાપ્રવિષ્ટ અને કેટલા પુષ્પાવકીર્ણ છે તે કહેવાને માટે પ્રતરે પ્રતરે કેટલા આવલિકાપ્રવિષ્ટ નરકાવાસા છે. તેનુ નિરૂપણ કરે છે— रयणाएं पढमपयरे, दिसि दिसि एगूणवन्न नरयाओ । વિવિશ્વાસેઢીણ્ પુળો, અડયાહા ફંો મળ્યું ॥ ૨પુ૬ ॥ बिइयाइसु पयरेसुं, दिसासु विदिसासु हीयमाणेणं । इक्केणं पयरे, अउणावन्ने दिसासु चउरो ॥ २५७ ॥ શબ્દા —રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં ચારે દિશાએ ૪૯–૪૯ નરકાવાસા અને ચાર વિદિશામાં ૪૮–૪૮ શ્રેણિગત નરકાવાસા જાણવા અને એક ઇંદ્રક નરકાવાસા સર્વના મધ્યમાં જાણવા. ૨૫૬ બીજા વિગેરે પ્રતરમાં દિશામાં ને વિદિશામાં એકેક આછા કરવા. એટલે બીજા પ્રતરની ચારે દિશામાં ૪૯ માં એક ઊણુ એટલે ૪૮–૪૮ નરકાવાસા સમજવા. ( વિદિશામાં ૪૭–૪૭ સમજવા ) ૨૫૭. ટીકાઃૐ—રત્નપ્રભા પહેલી પૃથિવીના પહેલા પ્રસ્તટમાં એકેક ક્રિશાએ ૪૯–૪૯ નરકાવાસા જાણવા અને ચારે વિદિશાની એકેક શ્રેણિમાં ૪૮–૪૮ નરકાવાસા જાણવા. તે દિશા વિદિશાભાવી શ્રેણિનાં મધ્યમાં એક ઈંદ્રક નરકાવાસા જાણવા. બીજા વિગેરે પ્રતરમાં દિશા–વિદિશાની શ્રેણિ એકેક નરકાવાસાએ હીન સમજવી. તે આ પ્રમાણે-ખીજા પ્રસ્તટમાં ચારે દિશામાં પ્રત્યેકે ૪૮–૪૮ અને ચાર વિદિશામાં ૪૭–૪૭, ત્રીજા પ્રસ્તટમાં ચારે દિશામાં ૪૭–૪૭ અને ચારે વિદિશામાં ૪૬-૪૬ એ પ્રમાણે ત્યાં સુધી સમજવું કે ચાવત્ ૪૯ મા પ્રસ્તટમાં દિશામાં એકેક નરકાવાસે સમજવા. ત્યાં વિદિશામાં એકે નરકાવાસે નથી. ત્યાં મધ્યમાં તેા અપ્રતિષ્ઠાન નામના ઇંદ્રક નરકાવાસા છે. સર્વ સખ્યાએ ત્યાં પાંચ નરકાવાસા છે,
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy