SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. ચિદપૂવી જઘન્ય છઠ્ઠા લાંતક દેવલોકમાં જાય અને ઉત્કૃષ્ટ સર્વાર્થસિધે જાય અથવા અકર્મ-કર્મ રહિત થઈને મોક્ષે જાય. ૧૬૯ छउमत्थसंजयाणं, उववाओकोसओ उ सबढे। भवणवणजोइवेमाणियाण एसो कमो भणिओ ॥१७॥ ટીકા –યથાવસ્થિત આત્માનું સ્વરૂપ જેનાથી ઢંકાયેલું રહે તેને છવાસ્થ કહીએ. એટલે તેને જ્ઞાનાવરણીયાદિ કર્મથી આચ્છાદિત સમજે. તેવા જે સંયતિ–મુનિ તેની ગતિ ઉત્કૃષ્ટી સર્વાર્થસિદ્ધ પર્યત હાય. રૈલોક્યના તિલકએવા પાંચમા અનુત્તરવિમાનમાં પણ હાય-એટલે ભવનપતિ, વ્યંતર, - તિષ્ક ને વૈમાનિકમાં વધતાં વધતાં ઉત્કૃષ્ટ ગતિ ત્યાં સુધી હાય. ૧૭૦ હવે તેની જઘન્ય ગતિ કહે છે – अविराहियसामण्णस्स, साहुणो सावगस्स य जहन्नो। सोहम्मे उववाओ, भणिओ तेलुक्कदंसीहि ॥ १७१ ॥ ટીકાર્ય –અવિરાધિતશ્રામણ્યવાળા એટલે અખંડિત સર્વવિરતિરૂપ ચારિત્રવાળાની અને અખંડિત યથાગૃહીત દેશચારિત્રવાળા શ્રાવકની ગતિ શૈલેકર્યાદશી તીર્થકરોએ ધર્મદેવલોકની (જઘન્ય) કહી છે. ૧૭૧ सेसाण तावसाईण, जहन्नो वंतरेसु उववाओ। भणिओ जिणेहिं सो पुण, नियकिरियाद्विआण विन्नेओ॥१७२॥ ટીકાઈ––શેષતાપસાદિની-એટલે તાપસ પરિવ્રાજકાદિની જઘન્ય ઉત્પત્તિ તીર્થકરેએ વ્યંતરનિકામાં કહી છે. તે તાપસાદિ પણ પિતપોતાની ક્રિયામાં સ્થિત પોતપોતાના શાસ્ત્રમાં પ્રતિપાદિત આચારના પાળવાવાળા સમજવા આચારથી પરિભ્રષ્ટ સમજવા નહીં. ૧૭૨ ઉપર જે બાળતપાદિ કારણેવડે કરીને ભવનપત્યાદિથી માંડીને અનુત્તર સુર સુધીની ગતિ કહી તે શું સર્વદા ને સર્વની હેય? ઉત્તર-સર્વદા નહીં અને સર્વની પણ નહીં, પરંતુ સંહનનવિશેષવાળાની સમજવી, તેથી તે સંહનનેના નામ અને તેનું સ્વરૂપ કહે છે–
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy