SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ (આચ્છાદિત-અભિભૂત) થયા છે એવા ચિત્તનો જે સત્ત્વગુણ છે તે પરિણામીસ્વરૂપે નિશ્ચલસ્થિર દીપશિખા જેવું (સત્ત્વ); સદા એકસ્વરૂપે (ચિદ્રુપપુરુષની છાયાને પ્રતિસşક્રાંત કરતું) પરિણામ પામતું ચિછાયા-ગ્રહણના સામર્થ્યથી મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી અવસ્થિત રહે છે. જેમ અયસ્કાંત(લોહચુંબક) મણિના સંનિધાનમાં લોઢાની ચંચળતા પ્રગટ થાય છે તેમ ચિદ્રુપપુરુષના સંનિધાનમાં સત્ત્વનું અભિવ્યંગ્ય(જણાવવા યોગ્ય) ચૈતન્ય જણાય છે. અહીં યાદ રાખવું જોઇએ કે ગુણ અને ગુણીને અભેદ હોવાથી ચિત્તને ગુણસ્વરૂપ માનીને ગુણસ્વરૂપે ઉલ્લેખ કર્યો છે... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. ૧૧-૧૫ इत्थं च द्विविधा चिच्छक्तिरित्याह આ રીતે ચેતન અને ચિત્તમાં રહેનારી ચિત્શક્તિ હોવાથી તે બે પ્રકારની છે, તે જણાવાય છે— नित्योदिता त्वभिव्यङ्ग्या, चिच्छक्तिर्द्विविधा हि नः । आद्या पुमान् द्वितीया तु, सत्त्वे तत्सन्निधानतः ।।११-१६।। नित्येति-नित्योदिता, तु पुनरभिव्यङ्ग्या । द्विविधा हि नोऽस्माकं चिच्छक्तिः । आद्या त्या पुमान् पुरुष एव । द्वितीयाऽभिव्यङ्ग्या तु तत्सन्निधानतः पुंसः सामीप्यात् सत्त्वे सत्त्वनिष्ठा । यद्भोज:“ अत एवास्मिन् दर्शने द्वे चिच्छक्ती नित्योदिता अभिव्यङ्ग्या च । नित्योदिता चिच्छक्तिः पुरुषः तत्सन्निधानाभिव्यक्त्याभिष्वङ्गं चैतन्यं सत्त्वमभिव्यङ्ग्या चिच्छक्तिरिति ” ।।११-१६।। “અમારે ત્યાં ચિત્રશક્તિ બે પ્રકારની મનાય છે. એક નિત્યોદિતા અને બીજી અભિવ્યંગ્યા. એમાં પહેલી પુરુષમાં છે અને બીજી પુરુષના સંનિધાનમાં સત્ત્વમાં (શુદ્ધચિત્તમાં) રહેલી છે.” – આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે. ઉપર જણાવેલી વાતને ભોજે પણ વર્ણવી છે. - “આથી જ આ સાંખ્યદર્શનમાં બે ચિત્ત્શક્તિ છે. નિત્યોદિતા અને અભિવ્યંગ્યા. નિત્યોદિતા (સદાને માટે એક સ્વરૂપ, સર્વથા અપરિણામિની) પુરુષસ્વરૂપ છે અને બીજી પુરુષના સંનિધાનના કારણે અભિવ્યક્ત થવાથી અભિષ્વજ્ઞ ચૈતન્યસ્વરૂપ સત્ત્વમાં રહેનારી અભિવ્યંગ્યા ચિત્રશક્તિ છે”... ઇત્યાદિ સુગમ છે. II૧૧-૧૬॥ इत्थं च भोगोपपत्तिमप्याह ઉપર જણાવ્યા મુજબ માનવાથી પુરુષને ભોગની પ્રાપ્તિ પણ સંગત બને છે, તે જણાવાય છે— सत्त्वेपुंस्थितचिच्छायासमाऽन्या तदुपस्थितिः । प्रतिबिम्बात्मको भोगः, पुंसि भेदाग्रहादयम् ।।११-१७। सत्त्व इति-सत्त्वे बुद्धेः सात्त्विकपरिणामे । पुंस्थिता या चिच्छाया तत्समा याऽन्या सा स्वकीयचिच्छाया । तस्या उपस्थितिरभिव्यक्तिः । प्रतिबिम्बात्मको भोगः । अन्यत्रापि हि प्रतिबिम्बे (आदर्श) એક પરિશીલન ૧૨૯
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy