SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ એનો ભાવાર્થ એ છે કે આ રીતે સંયતને અશુદ્ધદાન આપવાથી આશયની વિલક્ષણતાના કારણે દાન આપનારને અલ્પ શુભ-આયુષ્ય કર્મનો બંધ થાય છે. અને કોઈ વાર અશુભ દીર્ઘ આયુષ્યકર્મનો બંધ થાય છે. સંયતને અશુદ્ધદાન આપનાર દાતા જો મુગ્ધ હોય અને પાસત્કાદિથી “સંયતને કોઈ પણ રીતે આપવાથી એકાંતે લાભ જ થાય છે .. ઇત્યાદિ રીતે ભાવિત હોય તો તે દાતાને અલ્પસ્થિતિવાળું શુભ આયુષ્યકર્મ બંધાય છે અને દાતા સંયતની પ્રત્યે દ્વેષ, અસૂયા કે માત્સર્ય વગેરેથી અભિનિવિષ્ટ (અભિનિવેશવાળો) હોય અને તેથી સંયતને અશુદ્ધ દાન આપી ચારિત્રથી ભ્રષ્ટ કરવાના આશયને તે ધરતો હોય ત્યારે તેવા અભિનિવિષ્ટ દાતાને; સંયતને અશુદ્ધ દાન આપવાથી દીર્ઘસ્થિતિવાળું અશુભ આયુષ્યકર્મ બંધાય છે. સંયતને શુદ્ધદાન આપનાર દાતાની અપેક્ષાએ સંયતને અશુદ્ધદાન આપનાર મુગ્ધ દાતાને અલ્પશુભ આયુષ્યકર્મના બંધનો સંભવ છે – એ સમજી શકાય છે. શ્રી સ્થાનાંગસૂત્રમાં સંયતને અશુદ્ધદાન આપવાથી “અલ્પ આયુષ્યકર્મનો બંધ થાય છે' - આ પ્રમાણે જે જણાવ્યું છે, તે અલ્પ આયુષ્ય; નિગોદના મુલ્લક ભવો(એક શ્વાસોશ્વાસમાં સત્તરથી અધિક ભવો)ની અપેક્ષાએ સમજવું જોઈએ.” - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે અન્ય ગ્રંથમાં શ્રી ભગવતીસૂત્ર વગેરેમાં) જણાવેલી ઉપર જણાવ્યા મુજબની વાતનો તેથી વિરોધ આવશે. ત્યાં પણ મુગ્ધદાતાને આશ્રયીને સંયતના અશુદ્ધદાનમાં અલ્પ શુભાયુષ્યકર્મના બંધની જ કારણતા વર્ણવી છે. શ્રી સ્થાનાંગસૂત્રની ટીકામાં એ ખૂબ જ સ્પષ્ટપણે વર્ણવ્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ જાણી લેવું જોઇએ. /I૧-૨પા સંયતને અશુદ્ધદાન આપવાથી મુગ્ધ અને અભિનિવિષ્ટ દાતાની અપેક્ષાએ ફળની પ્રાપ્તિ અને ફળની અપ્રાપ્તિ (અનિષ્ટની પ્રાપ્તિ) સ્વરૂપ જે ફળની ભજના બતાવી છે – તે અશુદ્ધદાન; આધાર્મિક(પૂ. સાધુ-સાધ્વીને ઉદ્દેશીને બનાવેલ)ના દાન સ્વરૂપ નહીં હોવું જોઇએ. કારણ કે આધાર્મિક અશન-પાનાદિનું દાન એકાંતે દુષ્ટ છે. દાતા ગૃહસ્થ; મુગ્ધ હોય કે અભિનિવિષ્ટ હોય - બંનેને; આધાકર્મિકનું દાન સંયતને આપવાથી એકાંતે દોષની જ પ્રાપ્તિ થાય છે, ફળની પ્રાપ્તિ થતી નથી. શ્રી ભગવતીસૂત્રમાં જે લખ્યું છે કે સંયતને અશુદ્ધદાન આપવાથી દાતાને ઘણી નિર્જરા થાય છે અને અલ્પતર (ખૂબ જ અલ્પ) કર્મબંધ થાય છે. તેમાં પણ “અશુદ્ધ પદ; આધાકર્મિક અશન-પાનાદિને છોડીને સચિત્તસંબદ્ધાદિ અશુદ્ધ અશનપાનાદિને જણાવે છે, આધાકર્મિકના દાન સ્વરૂપ અશુદ્ધને નહિ, કારણ કે આધાર્મિકનું દાન તો એકાંતે દુષ્ટ જ છે.” આવી માન્યતાનું નિરાકરણ છવ્વીસમા શ્લોકથી કરાય છે– यस्तूत्तरगुणाशुद्धं प्रज्ञप्तिविषयं वदेत् । તેનાડત્ર મનના સૂત્ર વૃષ્ટ સૂત્રને થમ્ ? -૨દ્દા . એક પરિશીલન
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy