SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ વિધિપૂર્વક નિર્માણ પામેલા શ્રી જિનાલયમાં બિરાજમાન કરવા માટે શ્રી જિનબિંબ ભરાવવું જોઇએ. જે શિલ્પીને આ કાર્ય સોંપવાનું છે; તે કાર્ય અંગે પોતાની સંપત્તિ પ્રમાણે ઉચિત મૂલ્ય આપવું જોઇએ. કોઇ પણ જાતની કૃણતા કર્યા વિના ઉદારતાપૂર્વક આ કાર્ય કરવું જોઇએ. આ કાર્ય કરનાર શિલ્પીને કાર્ય સોંપતાં પૂર્વે; ભોજન કરાવવું, પાનનું બીડું આપવું, પુષ્પ અર્પણ કરવાં અને શ્રીફળાદિ આપવાં... વગેરે રીતે તેની પૂજા કરવી. પ્રતિમાજી ભરાવવા માટે શિલ્પી એવો પસંદ કરવો કે જે સ્ત્રી-મદિરા અને જુગાર વગેરેનો વ્યસની ન હોય. અન્યથા વ્યસનવાળા શિલ્પીને પ્રતિમાજી ઘડવાનું કાર્ય સોંપવામાં આવે તો કાલાંતરે પ્રતિમાજી ભરાવનારને પશ્ચાત્તાપ (આને ક્યાં કામ આપ્યું, ન આપ્યું હોત તો સારું થાત... ઇત્યાદિ રીતે પશ્ચાત્તાપ) થશે અને શિલ્પી-વૈજ્ઞાનિકને ઠપકો સાંભળવાનો પ્રસંગ આવશે. તેથી વ્યસનથી રહિત જ શિલ્પીને; કરનાર વૈજ્ઞાનિક અને કરાવનાર ગૃહસ્થ બંનેના ચિત્તનો અનુક્રમે ઉપાલંભ (ઠપકો) અને અનુશય (પશ્ચાત્તાપ) દ્વારા વિનાશ ન થાય એ રીતે પ્રતિમાજી ભરાવવાનું કામ આપવું જોઇએ. તત્ત્વના જાણકારોએ ધર્મકાર્ય પ્રારંભે અમંગલસ્વરૂપ એવા આ ચિત્તવિનાશનો નિષેધ કર્યો છે. તેથી પ્રતિમાજી ભરાવવા સ્વરૂપ પરમમંગલકાર્યમાં ચિત્તનો વિનાશ ન થાય – એનું ચોક્કસ ધ્યાન રાખવું જોઇએ. શિલ્પી, મહેતાજી, કાર્યકર્તા વગેરે પૈસા લઇ ગયા... વગેરે પ્રકારની અનેક ફરિયાદો આજે સાંભળવા મળે છે. માટે આ વિષયમાં ચોક્કસ ખાતરી કરીને જ કાર્ય સોંપવું જોઇએ. અન્યથા સંક્લિષ્ટ ચિત્ત બન્યા વિના નહિ રહે. સંક્લિષ્ટ કાર્યો સ્વ-૫૨ના હિતને કરનારાં નહીં થાય : એ યાદ રાખવું જોઇએ. ॥૫-૧૧॥ ઉપર જણાવ્યા મુજબ બિંબ ભરાવનાર અને શિલ્પી : એ બંનેના ચિત્તનો નાશ ન થાય એ માટે નિર્વ્યસનીને જ તે કાર્ય કરવા માટે આપવું જોઇએ. તેથી બંનેના સંબંધમાં કોઇ પણ જાતની વિકલતા પ્રાપ્ત થતી નથી. થોડો પણ ચિત્તનો ભેદ ફળની હાનિને કરે છે. તેથી બંનેના સંબંધમાં કોઇ પણ પ્રકારની વિકલતા ન જ આવવી જોઇએ. આથી સમજી શકાશે કે શ્રી જિનબિંબના નિર્માણકાર્યમાં ભાવનું જ પ્રાધાન્ય છે. એ ભાવનું પ્રાધાન્ય જણાવાય છે— यावन्तश्चित्तसन्तोषास्तदा बिम्बसमुद्भवाः । तत्कारणानि तावन्तीत्युत्साह उचितो महान् ॥५- १२॥ यावन्त इति—तदा बिंबकारणे । तावन्ति तावद्विबकारणसाध्यफलोदयात् ।।५-१२।। “શ્રી જિનબિંબ કરાવતી વખતે; બિંબના કારણે ઉત્પન્ન થયેલા જેટલા ચિત્તના સંતુષ્ટ પરિણામો છે તે બધા જ બિંબના નિર્માણકાર્યનાં કારણ છે. તેથી ઉચિત ઉત્સાહ મહાન છે.” – આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે ઉપર જણાવ્યા મુજબ વિધિપૂર્વક શ્રી જિનબિંબ ભરાવવાથી બંન્નેના ચિત્તનો નાશ થતો નથી. જેમ જેમ બિંબ ભરાવવાનું કાર્ય આગળ એક પરિશીલન ૧૭૫
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy