SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ઉપદેશપદ : ભાગ-૨ एतच्चिय भणियमिणं, पुव्वायरिएहिं एत्थ वत्थुम्मि । अन्नयवतिरेगगयं, परिसुद्धं सुद्धभावेहिं ॥४१३ ॥ 'यत एव' चैत्यद्रव्योपयोगोऽनर्थफलोत एव हेतोर्भणितमिदं वक्ष्यमाणं पूर्वाचार्यैरत्र चैत्यद्रव्योपयोगानर्थचिन्तालक्षणवस्तुनि चिन्तयितुमधिकृतेऽन्वयव्यतिरेकगतमन्वयेनास्मिन् विहिते इदं स्यादेवंलक्षणेन व्यतिरेकेण चैतद्विपरीतेन युतं परिशुद्धं स्फुटरूपमेव शुद्धभावैरज्ञानादिदोषोपघातरहितमनोभिः ॥४१३ ॥ ગાથાર્થ—આથી જ શુદ્ધભાવવાળા પૂર્વાચાર્યોએ આ વિષયમાં અન્વયવ્યતિરેકથી પરિશુદ્ધ આ કહ્યું છે. ટીકાર્થ—આથી જ દેવદ્રવ્યનો ઉપયોગ અનર્થ ફળવાળો હોવાથી જ. શુભભાવવાળા=અજ્ઞાનાદિદોષોના ઉપદ્રવથી રહિત મનવાળા, અર્થાત્ જેમનું ચિત્ત અજ્ઞાનતા વગેરે દોષોથી હણાયું નથી તેવા. આ વિષયમાં દેવદ્રવ્યના ઉપયોગથી અનર્થ થાય છે એવું વિચારવા માટે શરૂ કરેલા વિષયમાં. અન્વય-વ્યતિરેકથી=આ કરવાથી આ થાય એ અન્વય છે. તેનાથી વિપરીત વ્યતિરેક છે. (જેમકે જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય આ અન્વય છે. જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમાડો ન હોય એ વ્યતિરેક છે. પ્રસ્તુતમાં દેવદ્રવ્યનું રક્ષણ કરવાથી લાભ થાય એમ જણાવવું તે અન્વય છે. દેવદ્રવ્યનું રક્ષણ ન કરવાથી (=ભક્ષણ કરવાથી) અનર્થ થાય એમ જણાવવું તે વ્યતિરેક છે. અહીં અન્વય અને વ્યતિરેક એ ઉભયથી જણાવવામાં આવશે.) પરિશુદ્ધ=સ્પષ્ટ. આ=હવે પછીની ગાથાઓમાં કહેવામાં આવશે તે. દેવદ્રવ્યનો ઉપયોગ અનર્થફલવાળો હોવાથી જ જેમનું ચિત્ત અજ્ઞાનતા વગેરે દોષોથી હણાયું નથી તેવા પૂર્વાચાર્યોએ દેવદ્રવ્યના ઉપયોગથી અનર્થ થાય એ વિષયમાં અન્વય વ્યતિરેકથી સ્પષ્ટ જ હવે પછીની ગાથાઓમાં જે કહેવાશે તે કહ્યું છે. (૪૧૩) भणितमेव दर्शयति चेइयदव्वं साहारणं च जो दुहति मोहियमतीओ । धम्मं व सोन याणति, अहवा बद्धाउओ पुव्विं ॥ ४१४ ॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy