SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪- અભયદાન દ્વાર] . ઉપદેશમાલા (પુષ્પમાલા) [શાંતિનાથચરિત્ર વિભાગ)વાળા કદલીગૃહો બનાવે છે. પછી દક્ષિણ દિશાના કદલીગૃહમાં માતાની સાથે પ્રભુજીનું (સિંહાસન ઉપર બેસાડીને સુગંધી તેલથી) મર્દન કરે છે, પછી ઉદ્વર્તન (Rપીઠી આદિથી શરીરના મેલને દૂર) કરે છે. પછી તે બન્નેને ઉત્તરદિશાના કદલીગૃહમાં લઈ જાય છે. ત્યાં ચંદનના કાષ્ઠોથી અગ્નિ પ્રગટાવીને ભૂતિકર્મ (=શરીરની રક્ષા માટે કરાતું સૂત્રબંધન વગેરે) કરે છે. પછી બન્નેને રક્ષાપોટલી બાંધે છે. પછી “તમે પર્વત સમાન દીર્ધાયુ થાઓ” એમ આશીષવચન બોલતી દિકકુમારીકાઓ રત્નના બે ગોળાઓ અફડાવે છે. આ પ્રમાણે કર્યા પછી પ્રભુજીને અને માતાને શવ્યાના સ્થાને લઈ જાય છે. પછી છપ્પન દિકકુમારીકાઓ જિનગુણગાન કરતી રહે છે. જન્મ મહોત્સવ આ તરફ આસન કંપવાથી સૌધર્મેન્દ્ર જિનજન્મને જાણીને યોજન પ્રમાણ ગોળાકાર સુઘોષા ઘંટને વગડાવે છે. (૫૦) હર્ષ પામેલો અને સુઘોષા ઘટના ધ્વનિના શ્રવણથી ભેગા થયેલા દેવસમૂહથી પરિવરેલો સૌધર્મેન્દ્ર પાંચ શરીરો (=રૂપો) કરીને જિનને મેરુશિખર ઉપર લઈ જાય છે. ત્યારબાદ શ્રેષ્ઠ વિમાનમાં બેસીને પોતપોતાના પરિવારથી પરિવરેલા ઇશારેંદ્ર વગેરે દેવેંદ્રો ત્યાં આવ્યા. (પછી અચ્યતે આભિયોગિક દેવો પાસે કળશો મંગાવ્યા. તે આ પ્રમાણે) સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ-રૂપાના, સુવર્ણ-રત્નના, રત્ન-રૂપાના, સુવર્ણ-રત્ન-રૂપાના, માટીના. આ પ્રત્યેક જાતિના એકહજાર ને આઠ આઠ હતા. શ્રેષ્ઠ કમળથી ઢંકાયેલા, પુષ્પમાલાથી પૂજાયેલા અને વિવિધ પ્રકારના પાણીથી ભરેલા તે કળશોથી સર્વ પ્રથમ અશ્રુત કલ્પના ઈદ્ર પ્રભુને સ્નાન કરાવ્યું. આ સમયે બાકીના ઇદ્રો હાથમાં ધૂપધાણું, ચામર અને પુષ્પમાળા વગેરે લઈને ત્રિલોકનાથની આગળ ઊભા રહ્યા. તથા કોઈ દેવો કૂદે છે, કોઈ દેવો સ્તુતિ કરે છે, કોઈ દેવો નૃત્ય કરે છે, કોઈ દેવો ગાયન કરે છે, કોઈ દેવો આકાશમાંથી નીચે કૂદે છે, કોઈ દેવો નીચેથી આકાશમાં ઊડે છે, કોઈ દેવો સુવર્ણવૃષ્ટિ કરે છે. પછી પ્રાણી કલ્પનો ઇદ્ર પ્રભુજીને સ્નાન કરાવે છે. ત્યારબાદ સહસ્ત્રાર દેવલોકથી પ્રારંભી ઇશાનદેવલોક સુધીના ઇદ્રો પ્રભુજીને સ્નાન કરાવે છે. ત્યારબાદ અમરેન્દ્ર વગેરે ભવનપતિનિકાયના ઇદ્રો અને પછી વાણવ્યંતરના ઇદ્રો પ્રભુજીને સ્નાન કરાવે છે. પછી ક્રમશઃ ચંદ્ર અને સૂર્ય ઇદ્ર પ્રભુજીને સ્નાન કરાવે છે. પછી છેલ્લે સૌધર્મેન્દ્ર પ્રભુજીને વિધિપૂર્વક સ્નાન કરાવે છે. સૌધર્મેન્દ્ર મોગરાના પુષ્પ જેવા સફેદ ચાર બળદ વિક્ર્વે છે. તેમના શિંગડાઓથી આકાશમાર્ગમાં આઠ જલધારાઓ ઉછાળે છે. એ આઠ જલધારાઓ એક તરફ ભેગી થઈને પ્રભુજીની ઉપર પડે છે. પછી અતં સ્નાન કરાવીને પ્રભુજીની સ્તુતિ કરી હતી તે રીતે સૌધર્મેન્દ્ર જિનની સ્તુતિ કરે છે. તે આ પ્રમાણે૧. એક શરીરથી (=રૂપથી) પ્રભુજીને લીધા, બે શરીરથી બંને પડખે રહીને ચામર વીંઝવા લાગ્યો. એક શરીરથી પ્રભુના મસ્તકે છત્ર ધારણ કર્યું. એક રૂપે વજ ધારણ કરીને આગળ ચાલવા લાગ્યો.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy