SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૯૧ परिकिलेसाओ अप्पडिविरया जावज्जीवाए, जे आवन्ने तहप्पगारा सावज्जा, अबोहिआ, कम्मंता, परपाणपरिआवणकरा जे अणारिएहिं कज्जति तओ अप्पडिविरया जावज्जीवाए, से जहाणामए केइ पुरिसे कलममसूरजाव વમેવ તે રૂત્થામાર્ત્તિ મુ∞િયા, નિદ્રા, ગઢિયા, અન્ધ્રોવવન્ના, નાવ વાસારૂં વડપવમારૂં વા, છસમારૂં વા, अप्पतरो वा भुज्जतरो वा कालं भुंजित्तु भोगभोगाई पविसुइत्ता वेरायतणाई संचिणित्ता बहूई पावाई कम्माई उस्सणाई, संभारकडेण कम्मणा से जहाणामए अयगोलेइ वा, सेलगोलेइ वा, उदगंसि पक्खित्ते समाणे उदगतलमइवइत्ता अहे धरणितलपइट्ठाणे भवति, एवमेव तहप्पगारे पुरिसजाए वज्जबहुले, धूतबहुले, पंकबहुले, वेरबहुले, अप्पत्तियबहुले, दंभबहुले, णियडिबहुले, साइबहुले, अयसबहुले, उस्सण्णतसपाणघाती, कालमासे कालं किच्चा धरणितलमइवइत्ता अहे णरगतलमपइट्ठाणे भवंति । [ सूत्रकृताङ्ग २/२/३५] ते णं णरगा अंतो वट्टा, बाहिं चउरंसा, अहे खुरप्पसंठाणसंठिया, णिच्चंधगारतमसा, ववगयगहचंदसूरनक्खत्तजोइसपहा मेयवसामंसरूहिरपूयपडलचिक्खिल्ललित्ताणुलेवणतलाअसुईवीसा परमदुब्भिगंधा, कण्हा अगणिवन्नाभा, कक्खडफासा, दुरहियासा, असुभा 440 વગેરે તથા વસ્ત્રઆદિના ભોગઆદિ પરિકરથી યાવજ્જીવ અનિવૃત્ત હોય છે. તથા સર્વ પ્રકારે ખરીદ વેચાણ દ્વારા તથા માષક અર્ધમાષક વગેરેરૂપ ધનથી થતા કરિયાણા વગેરેના વેપારમાંથી યાવજ્જીવ નિવૃત્ત થતા નથી. તથા સર્વપ્રકારના હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, મણિ, મોતી, શંખ, પ્રવાલ, વગેરેના પરિગ્રહથી યાવજ્જીવ નિવૃત્ત થતા નથી. તથા ખોટા તોલમાપથી અટકતા નથી. તથા સર્વતઃ ખેતી, પશુપાલનવગેરેના કરણ, કરાવણમાંથી યાવજ્જીવ નિવૃત્ત થતા નથી. સર્વપ્રકારના પચન-પાચનમાંથી યાવજ્જીવ નિવૃત્ત થતા નથી. સર્વ પ્રકારના ખાંડણ, પીષણ, તર્જન, તાડન, વધ, બંધવગેરે પરિક્ષેશમાંથી યાવજ્જીવ નિવૃત્ત થતા નથી. તથા બીજા પણ આવા પ્રકારના અનેક સાવદ્ય કાર્યોમાં રક્ત અને બોધિનો અભાવ કરવાવાળા, બીજાઓના પ્રાણને પીડા ઉપજાવનારા અને અનાર્ય કાર્યોમાંથી યાવજ્જવ નિવૃત્ત નહીં થનારા છે. યથાનામ કેટલાક ક્રૂર પુરુષો કલમ(ધાન્ય વિશેષ), મસૂરવગેરેના રાંધણવગેરે ક્રિયામાં મિથ્યાદંડ પ્રવર્તાવે છે ઇત્યાદિ. આ જ પ્રમાણે તેઓ સ્ત્રીવિષયક કામમાં(=મૈથુન વગેરેમાં) મૂર્છિત થાય છે. ગૃદ્ધ થાય છે. ગ્રથિત બને છે. અધ્યપપત્ર બને છે. (મૂર્છિત વગેરે શબ્દો કથંચિત્ સમાન અર્થવાળા અને કથંચિત્ ભિન્ન અર્થવાળા છે.) અને ચાર, પાંચ, છ કે દસ વગેરે ભોગભોગો અલ્પકાળ કે બહુકાળસુધી ભોગવી, તથા વેરના અનુબંધો ઊભા કરી ક્રૂર ફળ આપવાવાળા લાંબી સ્થિતિવાળા ઘણા પાપ કર્મો ભેગા કરે છે. આ ભેગા કરેલા કર્મોથી ઘેરાયેલા જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. અહીં દૃષ્ટાંત બતાવે છે – જેમ કોઇ લોખંડનો ગોળો કે ગોળ પથ્થર પાણીમાં ફેંકવામાં આવે, તો તે પથ્થર પાણીની સપાટીને ઓળંગી અંદર જમીનપર પહોંચી જાય છે. તે જ પ્રમાણે ઉપરોક્ત પુરુષો વજબહુલ(=ગુરુકર્મી), ધૂત(=કર્મરજ)બહુલ, પંક(=પાપ)બહુલ, તથા વેર(=વૈરાનુબંધ)બહુલ, મનના દુષ્પ્રણિધાનવાળા, ઉત્કટ માયાવાળા, ઉત્કટ પરદ્રોહ કરવાવાળા, સાતિ=ભેળસેળ કરવાવાળા, તથા સર્વત્ર અયશવાળા, પ્રાયઃ ત્રસજીવોના ઘાતક થઇ સ્વઆયુષ્ય પૂર્ણ થયે મરીને આ પૃથ્વીતલને ઓળંગી નરકમાં ઉત્પન્ન થાય છે. [૨/૨/૩૫] નરકનું સ્વરૂપ નરકાવાસો અંદરથી ગોળાકાર અને બહારથી ચોરસ હોય છે, તથા નીચેના ભાગમાં ક્ષુપ્ર આકારવાળા હોય છે, તથા તે નરકોમાં હંમેશા ઘોર અંધકાર હોય છે. તથા ત્યાં ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર વગેરેના પ્રકાશનો માર્ગ નથી. તથા તે નરકો મેદ, ચરબી, માંસ, લોહી, પુરુના ઢગલાથી ખરડાયેલી ભૂમિવાળી છે. તથા તે નરકો મળમૂત્રવગેરે તથા
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy