SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અથ આચારોપનિષદ્ ૬. આપૃચ્છા આત્મહિતકારક કાર્યની પ્રતિજ્ઞાનું ગુરુસમક્ષ વિનયપૂર્વક નિવેદન કરવું, તેને સિદ્ધાન્તમાં આપૃચ્છા કહી છે. || ૧ || २७ આપૃચ્છાપૂર્વક કાર્ય કરાય, તે જ કલ્યાણકારક છે, અન્ય નહીં, એવો દૃઢ નિશ્ચય કરવો જોઈએ. બધું ગુરુને પૂછીને જ કરવું જોઈએ એવું કલ્પસૂત્રનું અનુશાસન છે. ॥ ૨ ॥ ગુરુ વિધિજ્ઞાતા છે, માટે તેઓ શુદ્ધ વિધિ બતાવે છે. તેથી શિષ્ય શુદ્ધ વિધિનો સ્વીકાર કરે છે. તેનાથી શિષ્યને શુભ ભાવ જાગે છે. || ૩ || તેનાથી વિઘ્નો જતા રહે છે, તેનાથી ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. તેનાથી પણ સુખની પરંપરા ચાલે છે અને પાપોનો ક્ષય થાય છે. II ૐ II તેનાથી સદ્ગતિ મળે છે, તેનાથી સદ્ગુરુનું સાનિધ્ય મળે છે. તથા સમ્યક્ત્રવણ વગેરેની પ્રાપ્તિ દ્વારા પરમગતિ થાય છે. ॥ ૫ ॥
SR No.022077
Book TitleAacharopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages80
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy