SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् ३९ ધ્યાનજળથી જીવને જે સદાતન શુદ્ધિનું કારણ બને છે, જે કર્મરૂપી મળને દૂર કરે છે, તે ભાવસ્નાન કહેવાય છે. ગ્રા જે સમતાકુંડમાં સ્નાન કરીને પાપજનિત મલને છોડીને ફરીથી માલિન્ય પામતો નથી, તે અંતરાત્મા પરમ પવિત્ર છે. ૫૮૫ શુભધ્યાનથી મનનું શૌચ, સત્યના આશ્રયથી વાણીનું શૌચ અને સદાચારથી કાયાનું શૌચ કરીને શ્રમણ પરમ પવિત્ર થાય છે. લા ઉદ્ગમ વગેરે દોષોનો પરિહાર કરવાથી ઉપકરણ-આહાર વગેરેની વિશુદ્ધિ થાય છે. રાજસ અને તામસ તપનો ત્યાગ કરી સાત્ત્વિક તપનો આદર કરવાથી તપની વિશુદ્ધિ થાય છે. અહિંસા આદિની પાંચ-પાંચ ભાવનાઓની શુદ્ધિઓ દ્વારા વ્રતોના સમૂહની વિશુદ્ધિ થાય છે. આ ભાવશૌચ મારામાં હંમેશ માટે પરિણતિ પામો. ૧૦ના
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy