SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ કેમ ન થાય ? આ અર્થ પ્રો. ન સમજી શક્યા, તેથી એમણે 'ન તવુલ્ઝેવેન ઉત્પાવઃ' એમ ખોટો પદચ્છેદ કર્યો અને 'સંસારના વિનાશથી મોક્ષ ઉત્પન્ન નહિ થઇ શકે' એવો અર્થ કર્યો એ પ્રો. નો કેટલો કરુણ અબોધ ! (૨૯) "હું 'ન અનાવિમાન ભવઃ તિ શ્વેત' એમ લગાડવા ધારું છું" એવું કહેતાં પ્રો. ની ખ્યાલ બહાર એ લાગે છે, કે ઠેઠ 'ન મવામાવો સિદ્ધિ' થી માંડીને પ્રશ્નોત્તરો જ શરૂ થાય છે. જુઓ આ વિવેચન ગ્રંથ. ત્યાં માત્ર અહીં જ 'તિ શ્વેત' શું કામનું ?' (૩૦) પ્રો. 'નિરાધારોડન્વયઃ કૃતો નિયોગેન' ઇત્યાદિ ખાસ સ્પષ્ટ કરવા યોગ્ય સ્થળો ન સમજી શકવાથી ચર્ચવું છોડી દે છે, એ એમને માટે શોભાભર્યું બન્યું છે. એવું જો સર્વત્ર કર્યું હોત તો વધુ શોભાભર્યું થાત. (૩૧) 'સમયાઃ અત્ર જ્ઞાતમ્' અહીં ભવ્યોની અનંત સંખ્યા સમજાવવા ત્રણે કાળના આઠમે અનંતે રહેલા સમયો (અવિભાજ્ય સૂક્ષ્મકાળ) ને દૃષ્ટાંત તરીકે લીધા છે. પ્રો. આ જિનગામ-પ્રસિદ્ધ વાત પણ ન સમજ્યા. તેથી ટીકા કરતાં સારો અર્થ બતાવવા 'સમયાત્' પદ કલ્પી, 'શાસ્ત્રથકી' એવો અર્થ કરવા ગયા. પણ તેથી તે 'જ્ઞાતમ્' એટલે દૃષ્ટાંત તે કયું, એ કહેવું રહી ગયું, એ ન સમજ્યા. જ્ઞાતમ્ એટલે જાણેલું છે એ અર્થ પણ સંગત નથી. કેમકે સમયાત્ની પૂર્વે 'કૃતિ' પદ નથી. (૩૨) અભવ્ય કરતાં મોક્ષે કદી ન જવાવાળા ભવ્યમાં શો તફાવત ? એના સમાધાન માટે ગ્રંથમાં ગાંઠાળું કાષ્ઠ અને પડી રહેલું શુદ્ધ યોગ્ય કાષ્ઠ એને દૃષ્ટાંત તરીકે લીધા છે. પણ પ્રો.
SR No.022074
Book TitlePanchsutrop Nishad
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy