SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ અધ્યાત્મસાર ભૂમિકા છે તેનાથી અધિક દેખાડવાની વૃત્તિને કારણે, જો દંભનો પ્રાદુર્ભાવ થાય તો મહાઅનર્થનું કારણ બને, એમ જાણીને આત્માર્થીએ દંભત્યાગમાં યત્ન કરવો જોઈએ. જેઓ સરળ છે તેઓ ભગવાનના વચનને સરળતાથી યથાસ્થાને યોજે છે; અને તેવો બોધ ન હોય તો તેવા સરળ આત્માઓ, ગીતાર્થને પરતંત્ર રહીને પણ આગમ પ્રમાણે જ પ્રવૃત્તિ કરે છે; અને કોઈ વખતે પ્રમાદથી સ્કૂલના થઈ જાય તો તેવા જીવો ઉચિત પ્રાયશ્ચિત્તથી પણ શુદ્ધિ કરી લે છે. માટે સરળ જીવોના આચારોથી સંયમની શુદ્ધિ થાય છે, એમ આગમમાં કહેવાયું છે. ll૩-૧લા અવતારણિકા - વાસ્તવિક રીતે શુદ્ધિ ભગવાનની આજ્ઞાથી થાય છે, અને ભગવાનની આજ્ઞા કોઈ નિયત અનુષ્ઠાનની નથી, પરંતુ સરળપણાથી તે તે સંયોગમાં જે ઉચિત હોય તે અનુષ્ઠાન કરવાની જ આજ્ઞા છે. તેથી સરળપણે જિનાજ્ઞાનો યથાસ્થાને વિનિયોગ કરનારની જ શુદ્ધિ થઈ શકે છે, તે બતાવવા માટે કહે છે – -जिनैर्नानुमतं किंचि-निषिद्धं वा न सर्वथा । कार्ये भाव्यमदम्भेने-त्येषाऽऽज्ञा पारमेश्वरी ।।२०।। અન્વયાર્થ – નિ: સર્વથા વિચિત્ ર ૩નુમત વા ન નિષિદ્ધ જિનો વડે સર્વથા કાંઈ પણ અનુમત નથી અથવા સર્વથા કાંઈ પણ નિષિદ્ધ નથી કર્યું કાર્ય ઉત્પન્ન થયે છતે ૩ષ્ણન માર્ગ દંભ વગર વિચારવું જોઈએ. તિ પરમેશ્વર પુH ૩જ્ઞા એ પ્રકારની પરમેશ્વર સંબંધી આ આજ્ઞા છે. ||૩-૨૦ll શ્લોકાર્ચ - જિનો વડે સર્વથા કાંઈપણ અનુમત નથી અથવા સર્વથા કઈપણ નિષિદ્ધ નથી, પરંતુ કાર્ય ઉત્પન્ન થયે છતે દંભ વગર વિચારવું જોઈએ, એ પ્રકારની પરમેશ્વર સંબંધી આ આજ્ઞા છે. I૩-૨ના ભાવાર્થ : ભગવાનની આજ્ઞા ઉત્સર્ગ-અપવાદમય હોવાથી કોઈ નિયત એકરૂપ નથી. અર્થાત્ “એકાંતે આમ જ કરાય તેમ નથી, પરંતુ સંયોગ પ્રમાણે પરિવર્તન કરાય તેવી છે. આગમમાં ઉત્સર્ગથી જેનું વિધાન છે તેનો અપવાદથી નિષેધ છે. આમ
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy