SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ દંભત્યાગાધિકાર શ્લોકાર્ચ - પૂર્વશ્લોકમાં કહ્યું કે દંભી સાધુ ધર્મ તરીકેની ખ્યાતિના લોભથી પોતાનો આશ્રવ છુપાવે છે, તે કારણથી, દંભી પોતાના ઉત્કર્ષથી અને પરની નિંદાથી યોગજન્મના બાધક એવા કઠિન કર્મને બાંધે છે. ll૩-૧૮II ભાવાર્થ - શ્લોક-૧૭માં કહ્યું કે દંભીને “ધર્મી' એ પ્રકારની ખ્યાતિનો લોભ હોવાથી પોતે બીજા કરતાં અધિક છે, તે બતાવવાની વૃતિ હોય છે, તેથી સમ્યફ સંયમ પાળનારાઓથી પોતે હીન ન દેખાય તે માટે સુસાધુઓની નિંદા કરે છે. આમ, બીજાને હીન અને પોતાને મહાન બતાવવાના અશુભાશયથી યોગજન્મનું બાધક એવું કઠિન કર્મ તે બાંધે છે. તે કર્મના કારણે તે દંભીને જન્માન્તરમાં સંયમપ્રાપ્તિની દુર્લભતા થાય છે. ૩-૧૮ आत्मार्थिना ततस्त्याज्यो, दम्भोऽनर्थनिबन्धनम् । शुद्धिः स्यादृजुभूतस्ये-त्यागमे प्रतिपादितम् ।।१९।। અન્વયાર્થ : તત: તે કારણથી= દંભી યોગજન્મનું બાધક કઠિન કર્મ બાંધે છે તે કારણથી, ત્મિયના ૩નર્થનિવર્ધનમ્ રમ: ત્યાથી આત્માર્થી વડે અનર્થના કારણભૂત દંભનો ત્યાગ કરવો જોઈએ. (અને) ગુમૂતરય શુદ્ધિઃ રચાત્ ઋજુભૂતની સરળ જીવની, શુદ્ધિ થાય છે. રુત્યાયામે પ્રતિપારિતમ્ એ પ્રમાણે આગમમાં કહેવાયેલ છે. ll૩-૧લા શ્લોકાર્ય : દંભી, યોગજન્મનું બાધક કઠિન કર્મ બાંધે છે તે કારણથી, આત્માર્થ વડે અનર્થના કારણભૂત દંભનો ત્યાગ કરવો જોઈએ; અને સરળ જીવની શુદ્ધિ થાય છે, એ પ્રમાણે આગમમાં કહેવાયેલ છે. ll૩-૧૯ll ભાવાર્થ : બીજાને હીન અને પોતાને મહાન દેખાડવાની, તેમ જ પોતે થોડું કર્યું હોય તેને વધુ દેખાડવાની વૃત્તિ, વગેરે પ્રકારના દંભના સેવનથી જીવ કઠિન કર્મ બાંધે છે. આથી તપ-ત્યાગમાં યત્ન કરનાર પણ જીવ જો દંભને પરવશ થાય તો કઠિન કર્મ બાંધે છે. માટે આત્માર્થીને તપ-ત્યાગ કરવા છતાં પણ પોતાની જે
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy