SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ અધ્યાત્મસાર અન્વયાર્થ : કથા ૩ સતીનાં શતં જેમ અસતી સ્ત્રીઓનું (બાહ્ય ઈન્દ્રિયોના સંયમરૂપ) શીલ શીતરચ વ વૃદ્ધ અશીલની જ વૃદ્ધિ માટે થાય છે, તથા વેશમૃતાં વ્રત તેમ સાધુવેશને ધારણ કરનારાઓનું વ્રત મેન ૩વ્રતવૃધ્યર્થ દંભ દ્વારા અવ્રતની વૃદ્ધિ માટે થાય છે. ૩-૮ શ્લોકાર્ધ : જેમ અસતી સ્ત્રીઓનું બાહ્ય ઈન્દ્રિયોના સંયમરૂપ શીલ અશીલની જ વૃદ્ધિ માટે થાય છે, તેમ સાધુવેશને ધારણ કરનારાઓનું વ્રત દંભ દ્વારા અવ્રતની વૃદ્ધિ માટે થાય છે. Il૩-૮ ભાવાર્થ : જેવી રીતે અસતી સ્ત્રીઓ પોતે શીલસંપન્ન છે તે બતાવવા માટે દંભથી અતિસંયમપૂર્વક વર્તતી હોય છે, અને કોઈ પર પુરુષ સાથે વાત ન કરે, અને વાત કરતી હોય તેં પણ અતિસંયમ રાખીને બોલતી હોય છે; તેથી લોકોને એમ જ લાગે કે આ સ્ત્રી અતિશીલવાળી છે. તેથી લોકના વિશ્વાસને પામીને પોતાનું અશીલપણું સારી રીતે તે સ્ત્રી પોષી શકે છે. તેવી જ રીતે સંયમને ગ્રહણ કર્યા પછી સંયમના પરિણામને જેઓ વહન કરી શકતા નથી, અને પોતાના અસંયમને પોષવા માટે લોકોના દેખતાં દંભથી સંયમની પ્રવૃત્તિ કરતા હોય છે, તેવા સાધુવેષમાં રહેલા દંભીઓની વ્રતની આચરણા પોતાના અવ્રતની વૃદ્ધિમાં જ સહાયક થાય છે. કેમ કે લોકો તેની બાહ્ય આચરણાથી પ્રભાવિત થઈને તેની ભક્તિ કરે છે, અને તે ભક્તિ દ્વારા પોતાનો અસંયમ તેઓ સારી રીતે પોષી શકે છે. ll૩-૮ અવતરણિકા - શ્લોક-૮માં અતિશય તુચ્છ પ્રકૃતિવાળા જીવોને દંભ, અસંયમની વૃદ્ધિનું કારણ બને છે તે બતાવ્યું. હવે આત્માર્થી અને શાસ્ત્ર દ્વારા દંભના અનર્થને જાણનારા જીવોને પણ દંભ કદર્થનાનું કારણ બને છે, તે બતાવતાં કહે છે – जानाना अपि दम्भस्य, स्फुरितं बालिशा जनाः । तत्रैव धृतविश्वासाः, प्रस्खलन्ति पदे पदे ।।९।।
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy