SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ અધ્યાત્મસાર ભાવાર્થ : પૂર્વશ્લોકમાં શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયારૂપ અધ્યાત્મ છે તેમ કહ્યું તે કારણથી, નિશ્ચયનય અધ્યાત્મને પાંચમા ગુણસ્થાનકથી સ્વીકારે છે; કેમ કે પાંચમા ગુણસ્થાનકમાં સમ્યક્ત્વને કારણે શુદ્ધ જ્ઞાન હોય છે, અને દેશવિરતિની ક્રિયા ગુણસ્થાનકની પરિણતિવાળી હોવાના કારણે શુદ્ધ છે. વળી વ્યવહારના પૂર્વમાં પણ અર્થાત્ ચોથા ગુણસ્થાનકથી માંડીને અપુનબંધક અવસ્થામાં પણ ઉપચારથી અધ્યાત્મને ઇચ્છે છે; કેમ કે અપુનબંધકાદિ અવસ્થામાં પણ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયાની કારણભૂમિકા છે, તેથી અધ્યાત્મની કારણભૂત ભૂમિકાને પણ વ્યવહારનય ઉપચારથી અધ્યાત્મ કહે છે. ||૨-૧૩ અવતરણિકા : પૂર્વના શ્લોકમાં કહ્યું કે નિશ્ચયનય પાંચમા ગુણસ્થાનકથી અધ્યાત્મને સ્વીકારે છે, ત્યાં પ્રશ્ન થાય કે, ચોથા ગુણસ્થાનકમાં પણ મિથ્યાત્વના અભાવને કારણે સમ્યજ્ઞાન છે અને અનંતાનુબંધી કષાયના અભાવને કારણે અંશથી શુદ્ધ ક્રિયા પણ છે, તેથી ત્યાં અધ્યાત્મ કેમ નથી ? તે શંકાના નિવારણ અર્થે ચોથા ગુણસ્થાનકમાં પણ નિશ્ચયનયથી કેવા પ્રકારનું અધ્યાત્મ છે, તે બતાવતાં કહે છે – चतुर्थेऽपि गुणस्थाने, शुश्रूषाद्या क्रियोचिता । अप्राप्तस्वर्णभूषाणां, रजताभूषणं यथा ।।१४।। અન્વયાર્થ : યથા પ્રાપ્તસ્વમૂવાનાં રત મૂષ જે પ્રકારે અપ્રાપ્ત સુવર્ણના આભૂષણવાળાઓને રજતનું આભૂષણ છે તે પ્રકારે) વસુયૅડ િસ્થાને ચોથા પણ ગુણસ્થાનમાં શુકૂવાઘા પિતા ડ્યિા શુશ્રુષા આદિ ઉચિત ક્રિયાઓ છે. I૧૪ll નોંધ : “ચતુર્થેડ”િમાં “જિ” થી એ કહેવું છે કે પાંચમા ગુણસ્થાનકમાં તો ઉચિત ક્રિયા છે જ, પરંતુ ચોથા પણ ગુણસ્થાનકમાં શુશ્રુષાદિ ઉચિત ક્રિયાઓ છે.
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy